________________
નિત્યક્રમ તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હો નવિ આવે દાય કે, શ્રી નવિજય સુગુરુતણો, વાચક રસ હો નિત નિત ગુણ
ગાય કે. અજિત ૫
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(મોતીડાની–દેશી) અજિત અજિત જિન અંતરજામી, અરજ કરું છું પ્રભુ શિર નામી; સાહિબા સસનેહી સુગુણજી, વાતલડી કહું કેહી. આપણ બાળપણાના સ્વદેશી, તો હવે કેમ થાઓ છો વિદેશી ? પુણ્ય અધિક તુમે હુવા જિગંદા, આદિ અનાદિ અમે તો બંદા. સાહિબા. ૨ તાહરે આજે મણાઈ છે શાની ? તુંહી જ લીલાવંત, તું જ્ઞાની; તુજ વિણ અન્યને કો નથી ધ્યાતા, તો જો તું છે લોકવિખ્યાતા. સાહિબા. ૩ એકને આદર એકને અનાદર, એમ કેમ ઘટે તુજને કરુણાકર; દક્ષિણ વામ નયન બિહુ સરખી, કુણ ઓછું કુણ અઘિકું પરખી. સાહિબા.૪ સ્વામિતા મુજથી ન રાખો સ્વામી, શી સેવકમાં જાઓ છો ખામી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org