________________
૮૬
નિત્યક્રમ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાય?
હો પ્રભુજી ! ઓ૦ ૫ સેવાગુણરંજ્યા ભવિજનને, જો તુમ કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમ ને નીરાગી.
હો પ્રભુજી ! ઓ૦ ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગજયકારી; રૂપ વિબુઘનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી.
હો પ્રભુજી ! ઓ૦ ૭
(૨) શ્રી અજિતનાથ સ્વામી
- શ્રી આનંદઘનજીકૃત સ્તવન (રાગ આશાવરી-મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે–એ દેશી) પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણઘામ; જે તે જીત્યારે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ?
પંથડો. ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર.
પંથડો. ૨ પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંઘો અંઘ પલાય; વસ્તુ વિચારે રે જો આગામે કરી રે, ચરણ ઘરણ નહિ ઠાય.
પંથડો. ૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.
પંથડો. ૪
Jain Education International
FOT F
For Personal & Private Use Only
www.jainelibrary.org