SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યકમ શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન (નીંદરડી વેરણ હુઈ રહી–એ દેશી) ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, તિહાં કિણે નવિ હો કો વચન ઉચ્ચાર. ઋષભ૦ ૧ કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે હો તિહાં કો પરઘાન; જે પહોંચે તે તુમ સમો, નવિ ભાખે હો કોનું વ્યવઘાન. ઋષભ૦ ૨ પ્રીતિ કરે તે રાગીઆ, જિનવરજી હો તુમે તો વીતરાગ, પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો તે લોકોત્તર માર્ગ, ઋષભ૦ ૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંતે હો કહો બને બનાવ. ઋષભ૦ ૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ, પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ-ગેહ. ઋષભ૦ ૫ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચળ સુખવાસ. –8ષભ૦ ૬ શ્રી યશોવિજયજીકૃત સ્તવન (મહાવિદેહ ક્ષેત્ર સોહામણો–એ દેશી) ગજીવન જગવાહો, મરુદેવીનો નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઊપજે, દર્શન અતિ હી આનંદ લાલ રે.૪૦૧ ૧ હકીકત. ૨ રાગરૂપ વિષ રહિત. ૩ પરમાત્માથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy