________________
નિત્યકમ શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
(નીંદરડી વેરણ હુઈ રહી–એ દેશી) ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વસ્યા, તિહાં કિણે નવિ હો કો વચન
ઉચ્ચાર. ઋષભ૦ ૧ કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે હો તિહાં કો પરઘાન; જે પહોંચે તે તુમ સમો, નવિ ભાખે હો કોનું વ્યવઘાન.
ઋષભ૦ ૨ પ્રીતિ કરે તે રાગીઆ, જિનવરજી હો તુમે તો વીતરાગ, પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો તે લોકોત્તર માર્ગ,
ઋષભ૦ ૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંતે હો કહો બને બનાવ.
ઋષભ૦ ૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ, પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ-ગેહ.
ઋષભ૦ ૫ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચળ સુખવાસ.
–8ષભ૦ ૬
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(મહાવિદેહ ક્ષેત્ર સોહામણો–એ દેશી) ગજીવન જગવાહો, મરુદેવીનો નંદ લાલ રે;
મુખ દીઠે સુખ ઊપજે, દર્શન અતિ હી આનંદ લાલ રે.૪૦૧ ૧ હકીકત. ૨ રાગરૂપ વિષ રહિત. ૩ પરમાત્માથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org