________________
નિત્યક્રમ
૩૫. સ્તવનો (૧) શ્રી ઋષભદેવ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન (રાગ મારુ–કરમ પરીક્ષા કરણ કુંવર ચલ્યો રે–એ દેશી) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.
ઋષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાથિક કહી રે, સોપાધિક ઘન ખોય.
ઋષભ૦ ૨ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કતને ઘાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન થાય.
ઋષભ૦ ૩ કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ઘર્યું રે, રંજન ધાતુમિલાપ.
ઋષભ૦ ૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ.
ઋષભ૦ ૫ ચિત્તપ્રસન્ન રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ.
ઋષભ૦ ૬
૧. કાષ્ઠમાં બળી મરે. ૨. પાઠાંતર–કદીયે. ૩. પ્રકૃતિ, સ્વભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org