________________
નિત્યકમ આનંદસાગરચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખકંદ છો; ભવ ફેદ હારક, છંદ ઘારક, સર્વ સદ્ગણ ચંદ્ર છો; સુખકાર છો ભવપાર નહિ કંઈ સાર ચિત્તમાં હું ઘરું.સ૨ વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો; ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરુ પૂરણ પ્રેમી કર ઘરે શિર એમ આશા આચરું.સ૦૩ કરી કોપ ચાર કષાય બાંધે, બંઘ આશા પાશનો; અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો; છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ઘરું.સ૦૪ નિજ ઘામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી; હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી; સ્થિર એક સદ્દગુરુ દેવ છો, એ ટેક અંતર આદરું.સ૦૫ ભવ મંડપે કરી પ્રીત માયાસેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી, જાગ્રત કરી ગુરુ રાજચંદ્ર, બોઘદાન કર્યું શરૂ.૩૦૬ જયકાર શ્રી ગુરુદેવનો, જન જગતમાંહી ગજાવજો, શુભ ભક્તના જે ઘર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો, ગુરુ ઘર્મઘારક, કર્મવારક, ધ્યાનમાં નિત્યે ઘરું.સ૦૭
(૩) દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી, ખરા ચિત્તથી ધ્યાનમાંહી વિહારી, ઘણા શિષ્યના આપ સંતાપહારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧ કર્યો ક્રોઇ તો કોઈને મારવાને, ઘર્યો લોભ તો ધ્યાનને ધારવાને, મહા મોહહારી નિજાનંદ ઘારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org