________________
નિત્યક્રમ
૮૯ ૩૪. ભક્તિના છંદો
(૧) સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળઘામી હે સ્વામી ! જય જય જિનેંદ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચંદ્ર હે દેવા; હું શરણ તમારે, આવ્યો દ્વારે, ચઢજો હારે કરું સેવા સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી.સ.૧ જય મંગળકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ઘરીએ, અભયપદ ચહું છું, કરગરી કહું છું શરણે રહું છું સ્તુતિ કરીએ; આ લક્ષ ચોરાસી ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી.સ૨ નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિઓ નવ જોશો અતિશય દોષો સઘળા ખોશો હે સ્વામી.સ૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણીને તારો, ઘર ઘંઘાઘાણી શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો; મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુઃખવામી.સ૦૪ ઉત્તમ ગતિ આપો, સઘર્મ સ્થાપો, કિલ્પિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ઘારો સુખધામી.સ૦૫
(૨) જય જગતત્રાતા, જગતભ્રાતા, જન્મ હર જગદીશ્વરા, સુખ સર્વ કારણ, ઘર્મઘારણ, ઘીર વીર મહેશ્વરા; અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણ કમળ ચિત્ત ઘરું;
સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org