SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સાયંકાળને તથા રાત્રિના જપ, તપ ઔર ગ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનને છોડ; પિછે લાગ સપુરુષકે, તે સબ બંધન તેડ. ૬. મુંબઈ, ૧૯૪૭ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧. અમૂલ્ય તત્ત્વવિચાર ( હરિગીત છંદ ) - બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવને મળ્યો, તેયે અરે ! ભવચકને, આંટો નહીં એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહે રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહો? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવે !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩ હું કેણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું? કેને સંબંધે વળગણું છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005407
Book TitleNityakram Sayankal tatha Ratrino
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy