________________
નિત્યક્રમ
તે પ્રાપ્ત કરવા વચન કનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માના ‘તેહ' જેણે અનુભવ્યું; રે! આત્મ તારા ! આત્મ તારા ! શીઘ્ર એને આળખા, સર્વાત્મમાં સમવૃષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખા. ૫
',
વિ. સં. ૧૯૪૧
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨. બ્રહ્મચર્ય વિષે સુભાષિત
( દોહરા )
ન
નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદ્યાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાચું બધું, કેવળ શાકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યા સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઇ; ભવ તેના લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫
સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેટુ. ૬
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭
વિ. સં. ૧૯૪૧
Jain Education International
For Personal & Private Use Only
૧૫
શ્રીમદ્ રાજચંદ્ર
www.jainelibrary.org