________________
નિત્યક્રમ
૧૮. શ્રી સદગુરુ ઉપકાર-મહિમા પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણ ગુરુરાજને, પ્રણમું વારંવાર કૃપા કરી મુજ ઉપરે, રાખે ચરણ મઝાર. ૨ પંચમ કાળે તું મળે, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો ! ઉપકાર તમારડે, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંતકાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સૌ કે કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ છે. ૬ અપૂર્વ વાણું તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણુને, આદરે સમ્યફવંત, નહિ બીજાને આશરે, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯
૧૯. શ્રી સદગુરુસ્તુતિ સદ્દગુરુ પદમેં સમેત હૈ, અહંતાદિ પદ સર્વ;
તાર્તિ સદ્ગુરુ ચરણકૂ, ઉપાસે તજી ગર્વ. સદ્દગુરુચરણે અશરણશરણું, બ્રમ-આત પહર રવિ-શશિકિરણું જયવંત યુગલપદ જયકરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org