SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રાત:કાળના ૧૭. વંદન તથા પ્રણિપાતસ્તુતિ અહા ! અહા ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યા, અહા ! અહા ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તેા પ્રભુએ આપિયા, તું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુના દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ, જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેડ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હૈ। વંદન અગણિત. હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વે દુઃખાના અત્યંત ક્ષય કરનારા એવા વીતરાગ પુરુષના મૂળધર્મ (માર્ગ) આપ શ્રીમન્ને અનંતકૃપા કરી મને આપ્યા, તે અનંત ઉપકારના પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહેા એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005406
Book TitleNityakram Pratahkalno
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy