________________
૩૨
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
શુભ કરે ફ્ળ ભોગવે, દેવાદિ ગતિ માંય; કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮
અશુભ
(૫) સમાઘાન
સદ્ગુરુ ઉવાચ
(તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાઘાન કરે છે) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ નથી, કેમ કે અનંતકાળ થયો તોપણ કર્મ ક૨વારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે.
-
(૮૮) શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નકાદિ ગતિને વિષે તેનું અશુભ ફ્ળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં.
(૮૯) જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હું વિચક્ષણ ! તું વિચાર.
(૯૦) કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org