SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. વરકા રાણ સ્ટેશનથી ૨ માઈલ દૂર આવેલું વરકાણું મારવાડની પંચતીથી માંનું પાંચમું તીર્થ છે પરંતુ પ્રાચીનતાની દષ્ટિએ આ બધાં તીર્થોમાં પ્રથમ નંબરે ગણાય છે. ઋતર્થવંદના-સ્તોત્રમાં “વરકાણે પાસથી આ તીર્થને બહુ ભાવપૂર્વક ઉલ્લેખ કરે છે. સિવાય કેટલાંક ઘા પર્ઘ-સ્તોત્ર આદિ તેત્રો, સ્તવને પણ પ્રસિદ્ધ થયેલ છે, જેનાથી આ તીર્થ કેટલું પ્રાચીન હશે એને ખ્યાલ આવે છે. આજના વરકાણુનું પ્રાચીન નામ “વરકનકપુર અથવા વરકનકનગર” હતું. સૈકાઓ પહેલાં આ નગર સમૃદ્ધ હોવું જોઈએ અને જૈન શ્રીમંતે તેમજ અધિકારીઓની સંખ્યા અધિક હેવી જોઈએ. એનું સમર્થન કરતાં જેત પરંપરા તે કહે છે કે, સમ્રાટ સંપ્રાંતના સમયે આ નગરની ભારે જાહોજલાલી હતી. તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ મંદિર અહીં બંધાવ્યું હતું, પરંતુ વર્ષોના ટાઢ-તડકા ઝીલી એ જીર્ણ થયું કાં તે આક્રમણકારીઓના હાથે એ ભેંયભેગું થયું અને એના ઉપર વર્ષોની ધૂળ ફરી વળતાં એ ભૂગર્ભની વસ્તુ બની ગયું. એ પ્રાચીન નગર ઉપર સંભવત: આજનાં દાદાઈ અને બીજેવા નામના ગામે વસ્યા હોય એમ જણાઈ આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy