SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ વળી, કાઇ કાળે અહી. જૈનાની વસ્તી ખૂબ હશે, એમ પણ લાગે છે. જેનેાના તીર્થ તરીકે આ સ્થળની પ્રસિદ્ધિ પાછળ તેના ગોરવના ઈતિહાસ ઘડાયા હશે. શ્રીદેવસૂરિના શિષ્ય શ્રોમાનદેવસૂરિ આશરે વિ. સ. ૩૦૦ પહેલાં નાડાલમાં ચામાસું રહ્યા હતા અને શાક ભરીમાં વ્યાપેલા મારીના ઉપદ્રવની શાંતિ માટે અહીં રહીને જ તેમણે દુશાન્તિત્ત્તવની રચના કરી હતી, અહીં જ વાદિવેતાલ શ્રશાંતિસૂરિએ શ્રીમુનિચંદ્રસૂરિને ન્યાયશાસ્ત્રના અભ્યાસ કરાવ્યા હતા અને વિ. સ. ૭૦માં શ્રીજયાન દસૂરિ શિષ્ય શ્રીરવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૯૯૨માં ભંડારીએાના મૂળપુરુષ નાડાલના રાજા લાખનસી (લક્ષ્મણ)ના પુત્ર દાદરાવને શ્રીયશેભદ્રસૂરિએ જૈન ધર્મની દીક્ષા અહીં આપી હતી. નાડાલ હાલમાં અહીં શ્વેતાંબર એશવાલાનાં ૨૫૦ ઘરે છે, તેમાં ૧૦૦૦ જૈનોની સંખ્યા છે. ૩ ઉપાશ્રય, ૨ ધ શાળાઓ અને ૧ પૌષધશાળા વગેરે છે. જૈન પાઠશાળા પણ ચાલુ છે. અહી શિખરબધી ચાર મંદિર છે. તેમાં શ્રીપદ્મપ્રભ જિનેશ્વર અને શ્રીનેમિનાથ ભગવાનનાં મંદિર સૌથી પ્રાચીન વિશાળ અને રમણીય છે. મદિરાના વહીવટ ગામના શ્રીસ’ઘને આધીન છે. ૧. શ્રોપદ્મપ્રભ જિનેશ્વરનું મંદિર ખૂબ ઊંચું છે. તેની બાંધણી અને કારણી અપ્રતિમ છે. અહીંના શિલાલેખામાં આ મંદિરનું નામ ‘રાયવિહાર ’ઉલ્લેખાયેલું જોવાય છે. ૧ આમાં શ્રીપદ્મપ્રભસ્વામીની ર હાથ ઊંચી બદામી રંગની સુંદર ૧. પરિશિષ્ટ ખીજું: લેખાંક: ૩૪ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy