SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીથી અણહિલવાડ અને સેમિનાથ જતી વખતે મહમૂદ ગિજની આ નગરમાં થઈને ગયા હતા. કુતુબુદ્દીન ઐબકે પણ અણુહિલવાડ જતી વખતે બાલી તથા નાડોલના ગઢને ઝુંટવી લીધા હતા. પુરાતત્ત્વની દષ્ટિએ અહીંની સૂરજપળ નામને દરવાજે મહત્ત્વપૂર્ણ છે. એના વિષયમાં પ્રસિદ્ધિ છે કે આને નાડેલના ચૌહાણેના મૂળપુરુષ રાવ લાખણે (લમણે) બનાવ્યા હતે. અહીં એક લેખ વિ. સં. ૧૨૪૩ના શ્રાવણ વદિ ૧૫ (અમાવાસ્યા)ને મંગળવારને ચૌહાણ કલ્હણના સમયને છે, જેને ઘણો ખરો ભાગ ઘસાઈ ગયે છે. અહીંથી થોડે દૂર પશ્ચિમમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે, જેના એક ગોખલામાં વિ. સં. ૧૬૬૬ જેઠ સુદ ૧૫ ને બુધવારને પાતસાહ શ્રીસલીમશાહ નૂરદી મહમદ જહાંગીર (અકબરના પુત્ર)ના સમયને લેખ છે. એમાં લખ્યું છે કે જાલેરના સ્વામી ગજનીખાએ નાડેલ સામે જહાંગીરના નામે એક શહરપનાહ બનાવી. આ મંદિરની પાછળ પ્રાચીન ગઢનાં અવશેષે છે. નગરની બહાર ઉત્તર કિનારે સોમેશ્વરનું મંદિર છે, જેના સ્ત ૧૨ મી શતાબ્દી આસપાસના બનેલા પ્રતીત થાય છે. સ્તંભે ઉપર ખેલા લેખમાં ચૌહાણ રાજા જે જલદેવના સમયને વિ. સં. ૧૧૪૭ વૈશાખ સુદિ ૨ ને બુધવારને લેખ સૌથી પ્રાચીન છે. અન્ય બે લેખે ચૌહાણ રાજા રાયપાલના સમયના વિ. સં. ૧૧૯૮ શ્રાવણ વદિ ૮ ને રવિવારના અને વિ. સં. ૧૨૦૦ના ભાદરવા વદિ ૮ ને બુધવારના છે. અહીં પહેલાં ખંડિયેર અને વાવડીએથી અનુમાન થાય છે કે, સમયે આ નગર સમૃદ્ધ હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy