SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પદ રાણકપુરની પંચતીર્થી બ્યાના ઉલ્લેખ છે. બીજી તરફની દેવકુલિકામાં શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનની ૧ા હાથ ઊંચી મૂર્તિ છે, જે સ ૧૮૯૩માં પ્રતિષ્ઠિત છે. એક રીના પાટડા ઉપર સં૦ ૧૨૧૩ ના ભાદરવા સુદિ ૬ ને મગળવારના લેખ છે. તેમાં દંડનાયક વૈજલદેવ' વંચાય છે અને તેમાં શ્રીમહાવીરસ્વામીના નિમિત્તે કંઇક દાન અપાયાના ઉલ્લેખ કરેલા છે. મંદિરમાં પાષાણુની કુલ ખાવન અને ધાતુની ૧ મૂર્તિ છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની ઊંચી પરિકર સહિત શ્વેત મૂર્તિ બિરાજમાન છે. આ પ્રતિમા ખંડિત થયેલાં હાવાથી તેના પર લેપ કરાવેલો છે. આ ખડિત મૂર્તિને સ્થાને બીજી મૂર્તિ સ્થાપન કરવાને લાવવામાં આવી પરંતુ મૂળ મૂર્તિ ગાદી ઉપરથી ઉઠાવી શકાઈ નહિ. આથી નવી મૂર્તિને ખાજુની દેરીમાં પધરાવવામાં આવી. મૂળનાયકની મૂર્તિ નીચે ‘સંસ્o ૦ાગળ મુવિ ૧ દ્દિને વૃંદેએ’ આટલું વંચાય છે. શિખરમાં ત્રણે બાજુએ આરસની ત્રણ તીથી મૂતિ એ છે. આ ઉપરથી આ મંદિર અગિયારમા સમ્ર કરતાં પ્રાચીન હૈાવાનું અનુમાન છે. આ મૂર્તિને લાકા ‘મૂછાળા મહાવીરના નામે એળખે છે. આ નામ કેવી રીતે પ્રસિદ્ધિમાં આવ્યું એ વિશે એક આવી દંતકથા સંભળાય છે. ' ' “ એક વખત ઉદયપુરના મહારાણા પેાતાના હજૂરિયા સાથે ફરતા ફરતા અહીં આવી ચડયા, ત્યારે પૂજારીએ ભગવાનનું ન્હવણ વાટકીમાં લાવી મહારાણા આગળ ધર્યું. વાટકીમાં કાળા વાળ દેખાયે, આથી પાસે ઊભેલા હજૂરિયાએ પૂજારીને આવી બેદરકારી માટે ઠપકો આપવા મજાકમાં કહ્યું: ‘ પૂજારી! For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy