SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીથી લાગતું હોવાથી તેનું નામ “ગેલેક્યદીપક રાખવામાં આવ્યું. પછી તેમાં સૂર્યબિંબ સમાન તેજસ્વી આદિનાથ ભગવાનનાં ચાર બિંબની પ્રતિષ્ઠા શ્રીસેમસુંદરસૂરિના હાથે કરાવી. સંઘપતિ ધરણાના આગ્રહથી શ્રીસેમસુંદરસૂરિ રાણકપુર નગરમાં જ્યારે પધાર્યા ત્યારે તેઓ ધરણુ શેઠે બનાવેલી વિશાળ પૌષધશાળામાં ઊતર્યા. આ પૌષધશાળામાં ઉત્તમ પ્રકારના કાછના ૮૪ સ્તંભે હતા ને વ્યાખ્યાનશાળા, ચેક તેમજ અનેક ઓરડાઓ હતા. ૨૪ - શ્રીમેહ કવિ ઉપર્યુક્ત મંદિરના વર્ણનમાં ઉમેરો કરતાં કહે છે કે, ૨૫ “ચતુર્મુખપ્રાસાદ ઉપર બાવન કર્મસ્થાયકારીગરનાં પૂતળાં મૂકવામાં આવ્યાં છે. તેમાં હંમેશાં ભૂગલભેરી આદિ વાજિંત્રે તાલબદ્ધ વાગતાં હોય એમ જણાય છે. ચારે દરવાજે ચાર બિંબ પધરાવેલાં છે. પશ્ચિમ દિશાના દરવાજે અત્યંત સુંદર મંડપ છે. ત્યાં હમેશાં નાટક–ઓચ્છવ થયા કરે છે. ઉત્તર દિશાના દ્વારે શ્રીસંઘ. અને ભેજક-ભાટ બેસીને કલરવ-કેલાહલ કર્યા કરે છે. પૂર્વ દિશાના દ્વારે સામે રહેલા ઊંચા વિધ્યગિરિની ભીંત છે, તે તરફ લોકોને વાસ છે. તેથી પ્રભાતે ઊઠીને તેઓ આદિનાથને પ્રણામ કરીને પૂજા–સેવા કરે છે. દક્ષિણ દિશાનું દ્વાર અત્યંત વિશાળ છે અને તે તરફ પૌષધશાળા છે, ત્યાં ગુણભંડાર ગુરુવારે સિદ્ધાંતનું અધ્યયન કરે છે, જેમાં તપાગચ્છાધિરાજ શ્રીસેમસુંદરસૂરિ વિરાજે છે. ૨૪. “સમસૌભાગ્ય કાર' સર્ગ: ૮, શ્લેક ૪૨, ૪૩ : ૨૫. પરિશિષ્ટ પહેલુંઃ ૧૪ થી ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy