SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ४० રાણકપુરની પંચતીથી તે નહિ હોય ને! જો કે આમાં સમયનિર્દેશ કર્યો નથી, પરંતુ મંદિરના સ્થાપત્ય ઉપરથી જણાય છે કે ધરણવિહાર બંધાયે તેની આસપાસના સમયમાં આ મંદિર બંધાયું હોવું જોઈએ. આ મંદિર પાસે બગીચે, અરટ-વાવડી છે, જે કારખાનાને તાબે છે. મંદિરને બે તરફ કેટ બાંધે છે. ત્રીજું મંદિર ધરણવિહારથી પશ્ચિમમાં ૨૫૦-૩૦૦ ગજ દૂર શ્રીને મનાથ ભગવાનનું શિખરબંધી મનહર મંદિર આવેલું છે, જે પૂર્વાભિમુખ દ્વારવાળું છે. તેમાં મૂળ ગભારામાં શ્યામવર્ણ શ્રીનેમનાથ ભગવાનની સુંદર મૂર્તિ બિરાજમાન છે. તેના સભામંડપમાં બંને તરફ મૂર્તિઓ પધરાવેલી છે. કુલ મળીને ૨૧ મૂર્તિઓ છે. મંદિર સાદું અને શ્રી પાર્શ્વનાથના મંદિર જે શિખરબંધી ઘાટ છે. આ મંદિરમાં પણ એક ભેંયરું છે, જેમાં ખંડિત મૂર્તિઓના સેંકડો અવશેષે ભરી રાખ્યા છે. કેટલાક આ મંદિરને “સલાટેકા મંદિર પણ કહે છે. એટલે કે ધરણવિહારમાં જે સલાટે કામ કરતા હતા તેમણે મળીને શ્રીનેમનાથનું મંદિર બંધાવ્યું છે. જ્યારે કેટલાક ધરણાશાહના કેઈ મિત્રે આ મંદિર બંધાવ્યું એમ કહે છે. પ્રાચીન વર્ણને સ. ૧૪૯૯માં શ્રીમેહ નામના કવિએ તત્કાલીને રચેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy