________________
૩૬૦
ભારતીય અભિલેખવિદ્યા
- એવી રીતે મધ્યકાલીન મુસ્લિમ અભિલેખમાં અરબી-ફારસી ભાષા વપરાઈ છે તે પરથી એ ભાષાઓની વપરાશનું બદલાતું પ્રમાણ તથા તે તે શતકનાં તે ભાષાનાં સ્વરૂપ જાણવા મળે છે. - દસમી-અગિયારમી સદીથી અભિલેખોમાં નૂતન ભારતીય–આર્ય ભાષાઓને અર્થાત ઘણી વર્તમાન ભારતીય ભાષાઓનો ઉપયોગ થવા લાગ્યો. આ ભાષાઓમાં પાંચસો હજાર વર્ષ પહેલાં લખાયેલું સાહિત્ય મોટે ભાગે અનુકાલીન હસ્તપ્રતોમાં પરિવર્તન પામેલા ભાષા–સ્વરૂપમાં મળે છે. તે તે સમયના શુદ્ધ ભાષા-સ્વરૂપને પાઠ યથાતથ ભાગ્યેજ જળવાઈ રહે છે, જ્યારે અભિલેખમાં તે તે તે સમયે કોતરેલાં લખાણ એના મૂળ સ્વરૂપે યથાતથ જળવાયાં હોય છે. આથી હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે વર્તમાન ભાષાઓના આરંભિક સ્વરૂપ વિશે અભિલેખોમાંથી મળતી સપ્રમાણ સામગ્રી તે તે ભાષાના જુના સ્વરૂપના ઈતિહાસ માટે ઘણી ઉપયોગી નીવડે છે. દા. ત. વિ. સં ૧૫૫૫(ઈ. સ. ૧૪૯૯)માં ગુજરાતી ભાષાનું સ્વરૂપ કેવું હતું તે મહમૂદ બેગડાના સમયના અડાલજની વાવના શિલાલેખ પરથી જાણવા મળે છે, જેમ કે “શ્રી વરસીની ધમની રાજશ્રી હવા મન પરાર્થ વાવિ વાવી ” (શ્રી વરસાયીની ધર્મપત્ની રાણી શ્રી રૂડબાઈએ ભર્તારના પરાર્થે અડાલજમાં વાવ કરાવી.)
વિ. સં. ૧૬૮૭ (ઈ. સ. ૧૯૩૧)ના કૂઆ(તા. ધ્રાંગધ્રા)ના પાળિયામાં संवत् १६८७ वर्षे जेठ वद ११ दने ज्ञाला श्री लाषाजी सूत सूराजी सूत गोपालजी સૂર મીમની જાચિની વહારે વરકા યિમાં (સંવત ૧૬ ૮૭ વર્ષે જેઠ વદ ૧૧ દિને ઝાલા શ્રી લાખાજી સુત સુરાજી સુત ગોપાલજી સુત ભીમજી ગાયની વહારે સ્વર્ગવાસી થયા.) વિ. સં. ૧૭૫૪(ઈ. સ. ૧૬૯૯)ને ગંદી(ઘા પાસેના पाणिया ५२ स्वस्त १७५४ वरखे चइतर शीइ २ दने गोहेल कानाजी लाषाणी गाम भेलते झुझी देवगत थआ छे श्री. रामचरणे स्वत १७५५ माहा श्रीद २ देरी बंधावी છે ૭૧ (સ્વસ્તિ ૧૭૫૪ વર્ષે ચૈત્ર સુદ ૨ દિને ગેહિલ કાનજી લાખાણું ગામ ભેલાતાં ઝૂઝી દેવગત થયા છે. શ્રી રામચરણે સંવત ૧૭૫૫ ચૈત્ર સુદ ૨ દેરી બંધાવી છે.) વઢવાણના વિ. સં. ૧૮૩૩(ઈ. સ. ૧૭૭૬)ના લેખમાં અંતે મારા શ્રીથીનન પ્રણા રાવ્યો છે૭ર (મહારાણા શ્રી પૃથ્વીરાજજીએ પ્રાસાદ કરાવ્યું છે.) શિહોરના વિ. સં. ૧૮૮૭(ઈ. સ. ૧૮૩૧)ના શિલાલેખમાં स्वामी श्री पुरुषोतम सरस्वतीए श्री ब्रह्मकु उपर देरू चणावीने श्री ब्रह्मानी मुरतीनी થાપના કરી છે છ૩ (સ્વામી શ્રી પુરુષોત્તમ સરસ્વતીએ શ્રી બ્રહ્મકુંડ ઉપર દેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org