SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ભારતીય અભિલેખવિદ્યા ન્યાયી અર્જનમાં, અર્જિતના રક્ષણમાં, રક્ષિતની વૃદ્ધિ કરવામાં અને વૃદ્ધિ કરેલાના સુપાત્ર–દાનમાં કેણ સમર્થ હેય? (૧૦) સર્વ સેવકોને એકઠા કરતાં. જે મારા અખિલ સુરાષ્ટ્ર દેશનું બરાબર શાસન કરે તેવો કોણ હેય)? હા, જાણ્યું તે ભાર ઉપાડવામાં ખરેખર માત્ર પર્ણદત્ત સમર્થ છે (૧૧). “આ રીતે પિતાની મતિથી અનેક દિવસ-રાત નિશ્ચય કરીને રાજાધિરાજે સુરાષ્ટ્ર દેશના સમ્યફ પાલન માટે વિનવણીથી એને નિયુક્ત કર્યો (૧૨). જેવી રીતે દેવો પશ્ચિમ દિશામાં વરુણને નિયુક્ત કરીને નિશ્ચિંત અને સ્વસ્થ થયા તેવી રીતે પશ્ચિમ દિશામાં પર્ણદરને નિયુક્ત કરીને રાજા સ્વસ્થ થયા. તેને (પદનો) પુત્ર ભાવથી યુક્ત પોતાની શકિતથી જાણે પોતે બે ભાગમાં વિભક્ત થયું હોય તેવો પિતાની જેમ સર્વ રીતે રક્ષણાય, હંમેશાં પિતાને વશ રાખનાર, મનોજ (કામદેવ) જેવા રમણીય રૂપવાળો (૧૪), રૂપને અનુરૂપ લલિત અને વિચિત્ર (વિવિધ) (કર્મો)થી નિત્ય આનંદથી યુક્ત રવભાવ ધરાવતો, પદ્મના જળાશયમાં રહેલા ખીલેલા પદ્મ જેવા મુખવાળો, શરણે આવેલા માણસોને શરણ આપનાર (૧૫), એ જગતમાં “ચક્રપાલિત નામથી ખ્યાતિ ધરાવે છે, જનોને પ્રિય છે ને જે પિતાના ઉદાત્ત અબાધિત ગુણો વડે પિતાથી ચડિયાત છે (૧૬), ક્ષમા, પ્રભુત્વ, વિનય, નય, શૌર્યના મહામૂલ્યાંકન વિનાનું શૌર્ય, દક્ષતા, દમ (દમન), દાન, અ-દીનતા, દાક્ષિય,. આનુષ્ય અને અશુન્યતા (પૂર્ણતા) (૧૭), સૌંદર્ય, આયેતરને નિગ્રહ, અ–ગર્વ ધય, અને ગાંભીર્યા–એ ગુણો જેનામાં અવિરત અતિશય વસે છે (૧૮), તેના ગુણો સાથે જેની ઉપમા (સરખામણી) કરાય તેવો કઈ સકળ લોકમાં ય છે નહિ. ગુણયુકત જનોમાં એ જ પૂર્ણ રીતે ઉપમાન થયો છે (૧૯). આમ એ અને એનાથી અધિક અન્ય ગુણો પિતાએ પોતે જ તપાસીને જેને નિયુકત કર્યો ને અગાઉના રક્ષક) કરતાં જેણે નગરની વિશેષ રક્ષા સારી રીતે કરી છે (૨૦). પોતાના બે બાહુના પરાક્રમ પર તેમજ બીજાના નહિ, (પણ) પોતાના જ ગર્વ પર આધાર રાખીને એ કેઈને ઉગ કરતો નહિ તેમજ આ નગરમાં દુષ્ટોનું શાસન કરતો જ (૨૧). જે નગરે નગરજન) સહિત લકે વિશે અલ્પ કાલમાં વિસંભ (વિશ્વાસ) ધરાવતો ને દોષે તપાસીને પોતાના પુત્રની જેમ પૌર (નગરજન) વર્ગોને લાડ લડાવતો (૨). સ્મિત સાથેનું સંભાષણ, માન અને દાન વડે અન્યના ગૃહમાં અનિયંત્રિત પ્રવેશ વડે અને પ્રીતિવર્ધક ગૃહ-ઉપચારો વડે જેણે પ્રજાનું રંજન કર્યું (ર૩), બ્રહ્મના. પસ્યા ભાવથી યુકત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy