SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૩૩ Ο નથી. યુદ્ધથી મેળવાતા વિજય તે આ લેકમાં તેમ જ પરલેાકમાં પણ લાભદાયી નીવડે છે. એને ખરા મહિમા એમાં રહેલા છે. તેા શુ` રાજાએ કદી યુદ્ધ ન કરવુ ? પાતે પહેલ કરીને રાજ્યવિસ્તારના લેાભે કે વિજય મેળવવાની લાલસાથી કદી યુદ્ધ ન કરવુ. પરંતુ સામા પક્ષ તરફથી પેાતાના રાજ્ય પર આક્રમણ કરવામાં આવે ત્યારે તેને સામને જરૂર કરવા. અર્થાત્ યુદ્ધની બાબતમાં સમજુ રાજાએ આક્રમણાત્મક નીતિને બદલે માત્ર સંરક્ષણાત્મક નીતિ રાખવી ને આવી પડેલા સંરક્ષણાત્મક વિજયની બાબતમાં ય શત્રુપક્ષના સૈનિકો તરફ બને તેટલી ક્ષાન્તિની અને હળવા દંડની-હળવી સજાની ઉદાર નીતિ રાખવી. ધવિજય એ જ ખરા વિજય છે ને ધર્મની પ્રીતિ એ જ ખરી પ્રીતિ છે. પોતાના પુત્રા, પૌત્ર, પ્રાત્રા વગેરે વંશજો આ નીતિને અનુસરતા રહે એ માટે અશેકે આ ધમલેખ કોતરાવ્યા છે. અશાક આ લેખાને ધમ લિપિ’ કહે છે, એમાં ‘લિપિ’શબ્દ લેખ(લખાણુ)ના અર્થમાં પ્રયાજાયા છે. આ લેખમાં પ્રાસલૈંગિક રીતે અશાક પેાતાના રાજ્યના પ્રાંતાને તેમ જ અહારનાં રાજયાના ઉલ્લેખ કરે છે, એ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વતા છે. એ પેાતાના રાજ્યમાં યવન અને ભેજ, નાભક-નાભપતિ, ભાજ-ચૈત્ર્યયણિક અને આંધ્ર-પુલિંદના ખાસ નિર્દેશ કરે છે. આમાં યવન પ્રાંત અનેક મેજ પ્રાંત ભારતની ઉત્તર-પશ્ચિમ સીમા પાસે આવેલા હતા. યવન પ્રાંત કે દાર(અધાનિસ્તાન)ની આસપાસ આવેલેા પ્રદેશ હતા, જ્યાં યવનેા(ગ્રીકા)ની વસાહત હતી ને જ્યાં અશાકે એક ધલેખ ગ્રીક ભાષામાં લખાવ્યા હતા. ક ખેાજ પ્રાંત કાશ્મીરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા રાજૌરી(પ્રાચીન રાજપુર)ની આસપાસ આવ્યા હતા.૨૦ પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંતને હજારા જિલેા પણ ખેાજ દેશમાં આવ્યેા હશે, જ્યાં અશોકના ચૌદ શૈલલેખાની એક પ્રત કોતરેલી છે.૨૧ આ લેખમાં ‘ભાજપેતેનિક' (પ્રાકૃતમાં) શબ્દ છે તેને બદલે શૈલલેખ નં. ૫ માં રાસ્ટિક-પેતેનિક' શબ્દ વપરાયા છે. કેટલાક પેતેનિક' ના અથ મહારાષ્ટ્રના પ્રાચીન પાટનગર પ્રતિષ્ઠાન(પૈઠણુ)ની આસપાસને પ્રદેશ એવા ટાવે છે તેા કેટલાક એને અથૌત્ર્યયણિક એટલે કે બાપીકો, વંશપર ંપરાગત એવા કરે છે.૨૨ આ લોકો મહાભાજ કે મહારાષ્ટ્રિક લાકા હોવા જોઈ એ.૨૩ આ અપરાંત દેશ હતા. એમાં કોંકણના શૂરક (સેાપારા) નગરમાં અશેાકના શૈલલેખાની એક પ્રત કોતરાઈ હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy