SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખમાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) ૨૧૧ એ સમયે રોમન કાલગણનામાં ૩૬૫ દિવસનું સૌર વર્ષ ચાલતું હતું, ને એમાં હાલ છે તેમ જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ ઑગસ્ટ, રકટોબર અને દિસંબર એ છ મહિના ૩૧-૩૧ દિવસના; એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર એ જે મહિના ૩૮-૩૦ દિવસના; અને ફેબ્રુઆરી મહિનો ૨૮ દિવસનો -એમ મળી કુલ ૩૬૫ દિવસ થતા હતા. એ મહિના અને એના દિવસ યથાતથ રાખીને રેમ નગરની સ્થાપનાના સંવતના વર્ષ ૧૨૮૦ ની જગ્યાએ ઈસવી સનનું વર્ષ પર ગણવામાં આવ્યું. ઈ. પૃ. ૪૬ માં રોમના શહેનશાહ જુલિયસ સીઝરે ચાલુ વર્ષમાં ૯૦ દિવસ ઉમેરીને વર્ષને આરંભ સરખો કર્યો હતો ને દર ૪ થા વર્ષે ફેબ્રુઆરીમાં ૧ દિવસ ઉમેરવાની પ્રથા શરૂ કરીને સૌર વર્ષને ૩૬૫ દિવસને બદલે સરેરાશ ૩૬૫ દિવસનું બનાવ્યું હતું. આ સુધારાને “જુલિયન સુધારો' કહે છે. માસનાં નામ અને માસના દિવસની સંખ્યાર્મા જુલિયસ સીઝરે તેમ જ ઑગસ્ટસે કેટલાક ફેરફાર કરેલા, તે પછી એ નામ અને એના દિવસની સંખ્યા ધ્રુવ રહ્યાં છે. ૧૦૭ ઈસવી સન ૬ ઠ્ઠી સદીમાં ઈટાલીમાં, ૮ મી સદીમાં ઇંગ્લેન્ડમાં, ૮મી – ૯મી સદીમાં ફ્રાન્સ, બેજિયમ, જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં અને ઈ. સ. ૧૦૦૦ ના સુમારમાં યુરોપના સર્વ ખ્રિસ્તી દેશોમાં પ્રચલિત થઈ એનું વર્ષ સરેરાશ ૩૬૫ દિવસનું ગણાય છે, પરંતુ ખરું સૌર વર્ષ એ કરતાં ૧૧ મિનિટ અને ૧૪ સેકંડ જેટલું ટૂંકું હોય છે. આથી લગભગ ૧૨૮ વરે એમાં ૧ દિવસ વધી જાય છે. મેષ સંક્રાતિ જુલિયસ સીઝરના સમયમાં ૨૫ મી માર્ચે આવતી, તે ઈ. સ. ૩૨૫ માં ૨૧ મી માર્ચે અને ઈ. સ. ૧૫૮૨ માં ૧૧ મી માર્ચે આવી. આથી પિોપ ગ્રેગોરી ૧૩ માએ ઈ. સ. ૧૫૮૨માં ઍકટોબરમાં ૧૦ દિવસ કમી ક્ય ને ૪૦૦ વર્ષ પડતા ૩ દિવસના અંતરના કાયમી ઉકેલ માટે ૧૭૦૦, ૧૮૦૦ અને ૧૦૦૦ જેવાં શતકવર્ષોમાં ફેબ્રુઆરીમાં ૧ દિવસ ન ઉમેરવાનો અર્થાત ૧૬૦૦ અને ૨૦૦૦ જેવા ૪૦૦ થી નિઃશેષ ભાગી શકાય તેવાં શતકવર્ષોમાં જ એ ૧ દિવસ ઉમેરવાનો સુધારો દાખલ કર્યો. કેથલિક દેશોએ આ સુધારે જલદી અપનાવ્યું, જ્યારે પ્રોટેસ્ટન્ટ દેશોએ શરૂઆતમાં એનો વિરોધ કરી સે બસો કે એથી વધુ વર્ષ પછી એ સુધારો અંગીકાર કર્યો.૧૦૮ પોપ ગ્રેગોરી ૧૩ માએ કરેલા આ સુધારાને ગ્રેગોરિયન સુધારો' કહે છે. આ સુધારો અપનાવ્યા પછી હવે ખરા સૌર વર્ષમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy