SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ભારતીય અભિલેખવિવા આ સંવત આગળ જતાં ગુજરાતમાં લુપ્ત થયે ને પછી દખણમાં પ્રચલિત થયે. ડે. મિરાશી સૂચવે છે કે મહિષ દેશના શક રાજા માનના સમયમાં શક સંવત દક્ષિણમાં પ્રચલિત થયે.૩° શક વર્ષ ૪૬૫ થી એ દખણના પ્રાચીન ચાલુક્યના અભિલેખોમાં પ્રયોજાય છે. ૩૧ પછી રાષ્ટ્રકૂટોએ અને એ પછીના રાજવંશોએ પણ ત્યાં એ સંવત ચાલુ રાખે. આગળ જતાં હવે શક રાજાઓ સાથેનો એનો સંબંધ વિસ્મૃતિમાં વિલુપ્ત થતાં, દખણના કપ્રિય પ્રાચીન રાજા શાલિવાહનનું નામ આ સંવત સાથે સાંકળી દેવામાં આવ્યું ને ત્યારથી એનાં વર્ષ “શાલિવાહન-કૃત શક તરીકે ઓળખાય છે. આ સંવત ઉજજનમાં શરૂ થયે ને વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષ પ્રચલિત થયો. વળી ઉજજન જે ભારતીય જતિષનું અગ્રિમ કેન્દ્ર હતું, આથી ભારતીય જ્યોતિષીઓએ આ સંવતને અપનાવી લીધો.૩૩ વળી જૈન લેખકોને પણ એ માનીત સંવત બન્ય૩૪ વર્તમાન રાષ્ટ્રિય પંચાગમાં પણ આ સંવત. અપનાવાય છે.૩૪ અ શક સંવતનાં વર્ષ સંવત ચત્રાદિ ગણાય છે. એના માસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં તથા દક્ષિણ ભારતમાં અમાન્ત છે. ચિત્રાદિ વિક્રમ સંવતના વર્ષ કરતાં શક સંવતનું વર્ષ ૧૫ વર્ષ મોટું હોય છે. આથી વિ.સં. ના ચિત્રાદિ વર્ષમાંથી ૧૩૫ વર્ષ બાદ કરતાં શક વર્ષ આવે છે. કાન્નિકાદિ વિ.સં.ના વર્ષમાંથી કાર્તિકથી ફાગુન સુધીમાં ૧૩૫ અને રૌત્રથી આશ્વિન સુધીમાં ૧૩૪ બાદ કરતાં શક સંવતનું વર્ષ આવે છે. શક વર્ષ અને ઈ. સ.ના વર્ષ વચ્ચેના તફાવતની બાબતમાં, ચૈત્ર સુદ ૧ થી ડિસેંબરની ૩૧ મી સુધી શેક વર્ષમાં ૭૮ અને એ પછી છેલ્લા બે ત્રણ માસ દરમ્યાન ૭૯ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. વિક્રમ, શક અને ઈસ્વી વર્ષને સંબંધ આ ઉદાહરણથી વધુ સ્પષ્ટ થશે ? કારિકાદિ વિક્રમ ઍટાદિ વિકમ શક સંવત ઈ. સ. ૌત્ર-આસ ૨૦૧૭ ૨૦૨૮ ૧૮૯૩ ૧૯૭૧ કાર્તિક-ફાલ્યુન ૨ ૦૨૮ ૨૦૨૮ ૧૮૯૩ ૧૯૭૧-૭૨. ૌત્ર–આ ૨૦૨૮ ૨૦૨૦ ૧૮૯૪ ૧૯૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy