SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમયનિર્દશની જુદી જુદી પદ્ધતિઓ આવ્યાં છે. વાંકાનેર પાસે આવેલા જડેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખમાં સં. ૧૮૬૯ શકે ૧૭૩ ફાલ્ગન શુકલ ૧૨ શની પુષ્ય નક્ષત્રે આયુષ્ય વેગે બાલવકરણે” ઉપરાંત સૂર્યોદયાત ઇષ્ટ ઘટી ૧૫ ૫લ ૩૧ નો સમય પણ જણાવ્યું છે, જ્યારે એ પ્રાસાદની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શુભ ગ્રગના ઈષ્ટ સમય માટે કુંડળી કરીને સૂર્યોદય પછીનાં ઘડી-પળનો સમય નકકી કરવામાં આવતા. કેટલીક વાર સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, અક્ષયતૃતીયા કે મહાવૈશાખી જેવા પર્વદિનેનો પણ નિર્દેશ કરવામાં આવે છે. આમ ભારતીય કાલગણનામાં સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર વગેરેને લગતી અનેક પદ્ધતિઓ પ્રચલિત હતી. અભિલેખમાં આપેલા નિર્દેશમાં સહુથી વધુ ઉલ્લેખ વર્ષને આવે છે. માસ, પક્ષ અને તિથિને, અને કેટલીક વાર વારનો પણ ઉલ્લેખ ઉત્તરકાલના ઘણા લેખોમાં આવે છે. નક્ષત્ર, સંવત્સર, ગ, કરણ, લગ્ન, ઘડપળ ઈત્યાદિને નિર્દેશ પણ કયારેક મળે છે. પાદટીપ ૧. શૈલલેખ નં. ૧૩માં ૨, શૈલલેખ નં. ૪માં ૩. શૈલલેખ નં. ૫ માં ૪. નિગાલી સાગર સ્તંભલેખમાં ૫. મિનઈ સ્તંભલેખમાં ૬. સ્તંભલેખ નં ૧, ૪ અને ૬ માં ૭. સ્તંભલેખ નં. ૭માં. વધુ વિગત માટે જુઓ Pandey, Indian Palaeography', pp 178 f. 6. Select Inscriptions, Book II, No. 2 6. Ibid., Nos. 83–88; Pandey, op. cit., pp. 180 f. ૧૦. નહિ તો ઋતુઓ બબ્બે માસની કુલ છ ગણાતી. 22. Select Inscriptions, Book II, No 91 ૧૨. Ibid., Nos. 94-104 23. Ibid., Book III, Nos. 55 and 57 ૧૪. Ibid., Nos. 59–62 ૧૫, Ibid. Nos. 64-67 ૧૬. Ibid., Book II, No. 14. એમના સિક્કાઓ વર્ષાનિર્દેશ વિનાના છે. ૧૭. બાલિક દેશમાં ૧૮-૧૯, Indian Epigraphy, p. 244 ૨૦, Ibid, n. 3. ૨૧, Select Inscriptions, Book II, Nos. 25, 27, 28, 32, 33, 34, 35 and 36; Pandey, op. cit., pp. 189 f, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy