SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર... હવે અભિલેખ (ખાસ કરીને શિલાલેખો તથા તામ્રપત્રલેખ) ઉપરાંત હસ્તલિખિત ગ્રંથ પણ મળે છે, જેમાં કિરાને લઈને મરેડમાં કેટલીક વિલક્ષણતા રહેલી છે. જેના માતાની તાડપત્રીય પ્રત( પમી સદી)માં શિરોરેખા ઘાટી છે, ઊભી રેખા નીચે જતાં પાતળી થતી જાય છે ને એને નીચલે છેડે નાની કે મોટી આડી (કે ત્રાંસી ) રેખા કરી ઊભી રેખાના નીચલા છેડાને બાંધી દીધો હોય છે.૨૩ બોવર હસ્તપ્રત ૬ઠ્ઠી સદીની લાગે છે. તેમાં મયુર શૈલી કરતાં રાજસ્થાની શૈલીની વિશેષ અસર રહેલી છે.૨૪ હયુંજી(જાપાન)ના મઠમાં મળેલી સવિનયધારિની તાડપત્રીય પ્રત ૮મી સદીમાં લખાઈ લાગે છે.૨૫ એમાં ગ્રંથના અંતે તે સમયની પૂરી વર્ણમાલા આપવામાં આવી છે. એમાં ય, સા, , , , , , , , ૨, ૪, છે, મો, મી, શું અને એ ૧૬ સ્વરે, જેથી હું સુધીના ૩૩ વ્યંજને, સંયુક્તાક્ષર લ અને ૭ જેવું મંગલચિહ્ન મળી કુલ ૫૧ ચિહ્ન આપવામાં આવ્યાં છે.૨૬ હલન્ત અક્ષરોની નીચે જમણી બાજુ ત્રાંસી રેખા કરી હોય છે. | ગુજરાતના આ કાલના અભિલેખોમાં દખ્ખણની સવિશેષ અસર વરતાય છે. ગુપ્તકાલના લેખમાં અક્ષરની ટોચે નક્કર બિંદુ દેખા દે છે; આગળ જતાં, એની જગ્યાએ નાની આડી રેખા પ્રજાઈ. બે ઊભી રેખાઓવાળા અક્ષરોમાં શિરોરેખા હવે માત્ર ડાબી બાજુની ઊભી રેખાની ટોચે કરવામાં આવે છે. સ્વરમાત્રાઓને વળાંકદાર મરોડ વિકસે છે. સંયુક્તાક્ષરમાં સામાન્ય રીતે પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષર જોડાય છે ને ત્યારે અનુગ અક્ષરની શિરોરેખાને લોપ કરવામાં આવે છે. અનુગ ૨ અને ૨ વળાંકદાર મરોડ ધારણ કરે છે. દક્ષિણ ગુજરાતના રૈકૂટક રાજ્યમાં દખ્ખણની લિપિની અધિક અસર પ્રસરી હતી. મૈત્રકકાળ(ઈ. સ. ૪૭૦-૭૮૮)ના વર્ણો સાદો છતાં વળાંકદાર મરોડ ધરાવે છે. હવે ર, ૩, , અને જેવા અક્ષરોમાં પણ શિરોરેખા થવા. લાગી છે. વર્ણોને મથાળે રહેલી આડી રેખા તરંગાકાર બની છે. સ્વરમાત્રાઓમાં સા, રુ, , ઈ અને ના મરોડ નાગરી મરોડની દિશામાં વિકસે છે. ઉત્તરમૈત્રકકાલમાં જુની સ્વરમાત્રાને પડિમાત્રાનું સ્વરૂપ અપાતું જાય છે. સંયુક્તાક્ષરોમાં સામાન્યતઃ પૂર્વગ અક્ષરની ટોચે જોડાતી સ્વરમાત્રાઓ ક્યારેક અનુગ અક્ષરની ટોચે જોડાય છે. અનુગ ચ તથા ને મરોડ વધુ વળાંકદાર બન્યો છે. અંકચિહ્નો હજી પ્રાચીન શૈલીએ લખાય છે. અનુસ્વાર અને વિસર્ગનાં ચિહ્ન બિંદુને બદલે નાની આડી રેખારૂપે લખાય છે. વિરામચિહ્નમાં એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy