SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સદશ જેનો તેજનો સમૂહ શોભતો હતો, એવા તે મંત્રીએ છપ્પન ઘડી વડે ઈંદ્રમાળ ધારણ કરી(પહેરી). પછી શ્રેષ્ઠ વાજિંત્રના શબ્દ પૂર્વક મોટા ઉત્સવ વડે સંસારથી રક્ષણ કરનાર એવી આરતી ઉતારી સર્વ લોકોને ઉચિત દાન આપી લાખો માણસો સહિત તે મંત્રીશ્વર પોતાને સ્થાને(ઉતારે) આવ્યો. આ પ્રમાણે તે પૃથ્વીધર મંત્રી તે તીર્થ પોતાનું કરી તે ગિરિરાજ પરથી નીચે ઉતર્યો. કેમકે છતી શકિતએ (શક્તિ હોય તો) બીજાને ગ્રહણ કરેલા તીર્થની ઉપેક્ષા કરવી ઉચિત નથી. આ બાબત ઉપર સિદ્ધિસેનનું દષ્ટાંત છે. તેમણે સ્તુતિવડે કરીને મહાદેવના લિંગનું વિદારણ કર્યું હતું, તથા બપ્પભટ્ટિએ બાળકના મુખકમળ વડે અંબાદેવીને કહ્યું હતું. ‘‘હું દેવનું દ્રવ્ય આપ્યા પછી જ ભોજન કરીશ.’’ એવો મંત્રીએ અભિગ્રહ કર્યો, તેથી તે દિવસે તેને ઉપવાસ થયો, ધર્મકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જો વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી, તેમ દેવદ્રવ્ય આપવામાં પણ વિલંબ કરવો શુભકારક નથી. કહ્યું છે કે “आयाणं जो भंजइ, पडिवन्नधणं न देइ देवस्स । नस्तं समुविक्खइ, सो वि हु परिभमइ संसारे ॥३॥” ‘‘દેવદ્રવ્યની આવકને જે ભાગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં અને દેવદ્રવ્યનો નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.’’ ''વિન્નિફ તળયાડું, વિસ્તૃફ વાસત્તનું પરિશિદે વા વં પિ ૬ અપ્પિન્ના, નિાંવ્યું અ—હિમહેૐ ||૪||’’ “પુત્રાદિકને વેચવા, અથવા પરને ઘેર દાસપણું કરવું, એમ કરીને પણ પોતાના આત્માના હિતને માટે જ દેવદ્રવ્ય આપી દેવું.’’ ‘‘વેબવવ્યવિનાસે, સિષાણ પવયળરસ ઉડ્ડાદે । સંનડ્વસત્થમંગે, મૂળળી વોહિનામÄ 19 I' ‘‘ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવો, સાધુનો ઘાત કરવો, શાસનની નિંદા કરવી અને સાધ્વીના બ્રહ્મચર્યનો ભંગ કરવો. આ સર્વે બોધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.’’ ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only ८७ www.jainelibrary.org
SR No.005399
Book TitleGirnar Granthoni Godma
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy