SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ શ્રીમદ્ રાજચંદ્ર બીજાઓને એ વિચારેના ભાગીદાર બનાવવાની વૃત્તિ પ્રગટ થઈ. પરિણામે નાની વયથી જ શ્રીમદ્ પુસ્તક લખવા અને પ્રસિદ્ધ કરવા પ્રેરાયા. એનું એક બીજું કારણ પણ હતું. શરૂઆતથી જ તેમનામાં જ્ઞાનપ્રાપ્તિ અને શાસ્ત્ર-અધ્યયનની જિજ્ઞાસા બહુ પ્રબળ હતી. સત્તરમાં વર્ષ પહેલાંની તેમની નેંધમાં પણ નીચેનાં વાક્યો આપણને જોવા મળે છે તે ઉપરથી એને સહેજે ખ્યાલ આવશેઃ વીરનાં કહેલાં શાસ્ત્રોમાં સેનેરી વચને છૂટક છૂટક અને ગુપ્ત છે. “ઉત્તરાધ્યયન” નામનું જૈન સૂત્ર તત્ત્વદષ્ટિએ પુનઃ પુનઃ અવલોકેજ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભેગી થાઓ. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ પાપને જાણવું જોઈએ.. પછી જે શ્રેય હાય તે સમાચરવું જોઈએ. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતું નથી; અજીવ એટલે જડનું સ્વરૂપ જાણતા નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે?” વળી શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ પ્રથમથી જ બહુ તીવ્ર હતી. એટલે ભાષાજ્ઞાન મેળવતાં તેમને ઘણો વખત લાગતે જ નહિ. તેથી એટલી નાની ઉંમરે પણ શ્રીમદે વિચાર અને સિદ્ધાંતથી ભરેલા અઘરા દાર્શનિક ગ્રંથે વાંચ્યા હતા. એ રીતે પોતાનું ધર્મજ્ઞાન સીધું મૂળ ગ્રંથમાંથી જ મેળવવા તેઓ શક્તિમાન થયા હતા. એ ઉંમર સુધીમાં શ્રીમદે ક્યા ક્યા ગ્રંથને અભ્યાસ કર્યો હતો તે ચોક્કસ કહી શકાય એમ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy