SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પછી સ’. ૧૯૪૩ માં શ્રીમદ્ રાજચંદ્રની મુંખઈમાં સ્થિતિ હતી. ત્યાં તેમણે શતાવધાન –સે। અવધાન– કરવાની પેાતાની અતિઅદ્ભુત શક્તિના પરિચય ફરામજી ઇન્સ્ટિટયૂટ તેમ જ અન્ય સ્થળાએ કરાવ્યેા હતા. શ્રીમદની સે અવધાના કરવાની શક્તિથી બધા લેાકે મુગ્ધ બની ગયા હતા. તેમને સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યેા હતેા અને ‘સાક્ષાત્ સરસ્વતી’નું માનવંતું બિરુદ આપવામાં આવ્યું હતું. ઠેરઠેર એમની મુક્તક ઠે પ્રશંસા થવા લાગી. · ટાઇમ્સ ઑફ ઇન્ડિયા', ‘પાચેાનિયર’ વગેરે અગ્રગણ્ય છાપાંઓએ શ્રીમનાં ભારાભાર ગુણગાન ગાયાં. ૩૮ એગણીસ વર્ષની વયના એક તેજસ્વી ચુવાનની આવી અદ્ભુત માનસિક શક્તિ જોઈને ડૉ. પિટરસન આદિ પાશ્ચાત્ય વિદ્વાને આશ્ચર્યચકિત થઈ ગયા. મુંબઈની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે તા શ્રીમને યુરોપમાં જઈને તેમની આ અજાયબીભરી શક્તિના પ્રયાગા બતાવવાનું આગ્રહભર્યું" સૂચન પણ કર્યું". પરંતુ શ્રીમદ્ એમ કરવા તત્પર થયા નહિ, કારણ કે તેમણે વિચાયું કે યુરેાપમાં પેાતે જૈનધર્માનુસાર રહી શકે નહિ. અવધાન ઉપરાંત શ્રીમદ્ અલૌકિક સ્પોન્દ્રિયશક્તિ પણ ધરાવતા હતા. તેમને એક ડઝન જેટલાં જુદાં જુદાં કદનાં પુસ્તકે પ્રથમ બતાવવામાં આવતાં તથા તેમનાં નામ વાંચવા દેવામાં આવતાં. ત્યાર બાદ તેમની આંખેાએ પાટા બાંધી દેવામાં આવતા; અને એક પછી એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy