SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૦ શ્રીમદ્ રાજચંદ્ર અને સં. ૧૯૫૬માં શ્રીમદ્ સ્ત્રીપુત્રાદિ અને લક્ષ્મીને ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. આ વર્ષ દરમ્યાન શ્રીમદે સંપૂર્ણ સંન્યાસ લેવા માટેની સર્વ પ્રકારની બાંહ્ય તેમ જ આંતર તૈયારી પણ કરવા માંડી હતી. પરંતુ અચાનક તેમનું શરીર એ અરસામાં જ કથળવા લાગે છે. તે શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરવાના પિતાના નિર્ણયમાં એટલા જ નિશ્ચલ રહે છે. એ જ વર્ષમાં અમદાવાદ પાસેના નરેડા ગામમાં મુનિઓ હતા ત્યાં શ્રીમદ્દ પધાર્યા હતા. એ વેળાએ શ્રીમદે શ્રી દેવકરણજીને કહ્યું: “હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ. કેઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રણમાં રહેવા આત્મા ઈચ્છે છે.” શ્રી દેવકરણજીએ પૂછ્યું: “અનંત દયા જ્ઞાની પુરુષની છે, તે ક્યાં જશે?” શ્રીમદ્ કહેઃ “અંતે એ પણ મૂકવાની છે.” ત્યાર બાદ શ્રીમદ્ સં. ૧૫૭માં ફરીથી અમદાવાદ પધાર્યા હતા. તેઓ આગાખાનને બંગલે પિતાનાં માતુશ્રી તથા ધર્મપત્ની સહિત રહ્યા હતા. તે વખતે મુનિઓ પણ ચોમાસું પૂરું કરી અમદાવાદ આવ્યા હતા. શ્રીમદ્દ પાસે “જ્ઞાનાવ” અને “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા” નામના બે મેટા દિગંબરી ગ્રંથે હાથના લખેલા હતા. એ ગ્રંથે શ્રી લલ્લુજી મહારાજ અને શ્રી દેવકરણજીને માતુશ્રી દેવમાતા અને શ્રી ઝબકબાના હસ્તે વહરાવ્યા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy