SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ૧૯૭ વળી સાથેસાથે આપણા ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય વિચારક આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધ્રુવ “શ્રીમદ્ રાજચંદ્ર” વિશે શું કહી ગયા છે એ પણ ધ્યાનમાં લેવા જેવું છેઃ આજકાલ ભણેલાઓમાં એવી ઘેલછા ચાલી છે કે દરેક મેટા લેખકના ગ્રંથે આપણે વાંચી લેવા જ જોઈએ. ખૂબ વાંચવું, ખૂબ લખવું અને ખૂબ છપાવવું એ રેગ આજકાલ ફાટી નીકળ્યો છે. પણ હું તેને વાજબી માનતું નથી. “પૂર્વકાળે માત્ર એક બે ગ્રંથનાં વાચન અને મનનથી જે ફળ મળતું તે આજે સેંકડે અને હજારે ગ્રંથના વાચનથી મળતું નથી. વિવિધ મહાત્માના ગ્રંથમાં વિવિધ આદર્શો આપણે પ્રત્યક્ષ કરીએ છીએ અને એ આદર્શોની છાપ આપણા અંતઃકરણ ઉપર સ્થાયીરૂપે રહી શકતી નથી. દરેક ગ્રંથની અમુક એક બાજુ હોય છે. આવી અનેક બાજુઓનું પ્રતિબિંબ આપણે આપણા જીવનમાં પાડી શકીએ એ અસંભવિત છે. અંગ્રેજ વિદ્વાનમાં અને કેને એક ચોક્કસ ગ્રંથકાર કે મહાત્મા પ્રત્યે ખાસ હૃદયભાવ હેય છે. તેઓ પિતાના આખા જીવન દરમિયાન એ એક જ આદર્શને કેળવવા મથે છે. આથી તેમને ઘણે લાભ મળે છે. * સં. ૧૯૭૩ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે વઢવાણ કંપમાં આચાર્ય શ્રી આનંદશંકરભાઈ ધ્રુવે પ્રમુખપદે આપેલા ભાષણમાંથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy