SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં કેટલીક ધર્મચર્ચા થયા બાદ ત્રિભુવનદાસભાઈએ પ્રશ્ન પૂછયોઃ એક જેનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ? તેના જવાબમાં શ્રીમદે નજીકમાં આવેલી મુંબઈની હાઈકેટને ભૂરજ બતાવીને કહ્યું: પેલી દૂર જે હાઈ કોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રામાણિકપણું ઓછું તે ન જ હોવું જોઈએ. મતલબ કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કેઈને શંકા પણ ન થવી જોઈએ, એટલું જ નહિ પણ તે અપ્રામાણિક છે એમ કઈ કહે તે સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ. ૨૧ એક વખત શેઠ ત્રિભુવનભાઈ શ્રી માણેકલાલ વગેરે જમવા બેઠા હતા. શ્રીમદ્દ પણ એ લેકે સાથે જમવામાં હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. એક ગૃહસ્થ તિથિનું કારણ બતાવી શાક લેવાની ના કહી. રાઈતું પીરસાતાં તેમાં દ્વિદલને કારણે ના પાડી. પછી બીજી કેટલીક પરચૂરણ વસ્તુઓ પીરસવામાં આવી. તેમાંની કેટલીક લીધી અને કેટલીક ન લીધી. છેવટે દૂધપાક પીરસાવા લાગ્યું. તે ગૃહસ્થની થાળીમાં પીરસાતું હતું ત્યાં તે એને અટકાવીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy