SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનન્સાધના ૧૪૯ આમ, શ્રીમથી ચૌદ વર્ષે મેટા, ધનાઢ્ય કુટુંબમાં એકના એક પુત્ર છતાં સર્વસ્વ ત્યાગ કરી, બીજા ત્રણ ઓળખીતા કુટુંબીઓ સાથે દીક્ષિત, તે વખતે ખંભાતના સંઘાડામાં માત્ર ચાર જ સાધુએ રહ્યા હતા તેની સંખ્યા બમણી કરનાર અને વિનયાદિ ગુણોથી આચાર્યને પ્રસન્ન કરી સર્વ સાધુઓમાં પાંચ છ વર્ષમાં પ્રધાનપદ પામનાર, તેમ જ તેમના દીક્ષિત થયા પછી તે સંઘાડામાં ચૌદ સાધુઓ થઈ જવાથી સારાં પગલાંના ગણાતા, મંગલકારી તથા ભદ્રિક એવા આ આગેવાન સાધુ શ્રી લલ્લુજી, માત્ર બાવીસ જ વર્ષની વયના, યુવાવસ્થામાં પ્રવેશ કરનાર ગૃહસ્થને નમસ્કાર કરે એ કંઈ જે તે સામાન્ય પ્રસંગ ન જ ગણાય. શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછયું: “તમારી શી ઈચ્છા છે?” શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું: સમક્તિ (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણે છે.” શ્રીમદ્ ડીવાર મૌન રહ્યા અને પછી કહેઃ “ઠીક છે.” એમ કહીને તેમણે શ્રી લલ્લુજીના જમણા પગને અંગૂઠે તાણે તપાસી જોયે; અને ઊઠીને તેઓ નીચે ગયા. - ઘેર જતાં અંબાલાલભાઈને શ્રીમદે કહ્યું: “આ પુરુષ સંસ્કારી છે. આ રેખા લક્ષણે ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ધમેં આત્મજ્ઞાની મુનિ થાય.” બીજે દિવસે તે શ્રી લલ્લુજી જાતે જ અંબાલાલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy