SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સાધના ૧૫ સં. ૧૫૭ના મહા-ફાગણમાં અંબાલાલભાઈ પિતાના નાનાભાઈ નગીનદાસ મગનલાલ* સાથે વઢવાણ શ્રીમની સેવામાં એક મહિને રહ્યા હતા. શ્રીમદે તેમને જવાની આજ્ઞા કરી તેને માન આપી તે ખંભાત ગયા. શ્રીમદના દેહત્સર્ગ પછી અંબાલાલભાઈએ વચનામૃત” છપાવવામાં શ્રીમદના નાના ભાઈ શ્રી મનસુખભાઈને સહાય કરી હતી. શ્રીમના અવસાન બાદ મુનિશ્રી લલ્લુજી તથા અંબાલાલભાઈ અન્ય સલાહ લઈને વર્તતા. સં. ૧૫૮માં અંબાલાલભાઈ શ્રી લલ્લુજી મુનિને સમાગમ કરવા દક્ષિણ હિંદમાં કરમાળ ગયેલા. છેવટે પ્લેગ લાગુ પડવાથી અંબાલાલભાઈ સમાધિ સહિત સં. ૧૯૬૩ના ચિત્ર વદ બારસે ખંભાત મુકામે માત્ર સાડત્રીસ વર્ષની વયે દેવલોક પામ્યા. . મુનિશ્રી લલ્લુજી મહારાજ–લઘુરાજ સ્વામી શ્રીમને મન, વચન, કાયા અર્પણ કરી તેમની આજ્ઞામાં તન્મયપણે સમગ્ર જીવન ગાળી મોક્ષમાર્ગને ઉદ્યોત સફળપણે હોય તો તે મુનિશ્રી લલ્લુજી (શ્રી લઘુરાજ સ્વામી) જ હતા. શ્રી લલ્લુજીને જન્મ ભાલ પ્રદેશના વટામણ ગામમાં * અંબાલાલભાઈના પિતાશ્રીનું નામ મગનલાલ હતું. પરંતુ તેમના માતામહ લાલચંદભાઈને પુત્ર નહિ, એટલે લાલચંદભાઈએ અંબાલાલભાઈને દત્તક લીધા હતા. એટલે તે અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા. જી - સા - ૧૦ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy