SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ૧૩૫ ધિસ લાસ્ટથી, જેનું ગુજરાતી નામ “સર્વોદય’ મેં રાખ્યું છે, અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી.” એટલું જ નહિ પણ ગાંધીજી તે એટલે સુધી કહે “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટૉલ્સ્ટૉય તથા રસિકન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે.” મહાત્મા ગાંધીજીના આવા ઉદ્ગારે સાંભળીને શ્રીમદ્ રાજચંદ્ર જેવી ઉચ્ચ વિભૂતિના સમાગમમાં ગાંધીજી શી રીતે આવ્યા અને તે કેમ વધારે ને વધારે ગાઢ બનતે ગયે એ વિશે જાણવાનું આપણને સહેજે મન થઈ આવે. ઈ. સ. ૧૮૯૧ના જુલાઈ માસમાં ગાંધીજી જ્યારે વિલાયતથી બૅરિસ્ટર થઈને હિંદ પાછા ફર્યા, ત્યારે મુંબઈમાં તેમને ઉતારે શ્રીમદના કાકાસસરા ડે. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતે. શ્રીમદ્દ એ ડૉ. પ્રાણજીવનદાસભાઈના વડીલ બંધુ શ્રી પિપટલાલભાઈના જમાઈ થાય. દાક્તરે શ્રીમદની સાથે ગાંધીજીની ઓળખાણ પ્રથમ વાર કરાવી અને કહ્યું: “કવિ છતાં યે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે; શતાવધાની છે.” કેઈએ તે વખતે ગાંધીજીને સૂચવ્યું કે, “તમે રાયચંદભાઈને કેટલાક શબ્દ સંભળાવે અને એ શબ્દ ગમે તે ભાષાના હશે તે પણ તે જ ક્રમમાં રાયચંદભાઈ પાછા કહી જશે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy