SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રીમદ રાજચંદ્ર ભાઈના ખાસ મિત્ર ડુંગરશીભાઈ ગોસળિયા હતા. તે સેભાગભાઈથી પણ મોટા હતા. ડુંગરશીભાઈ ભારે બુદ્ધિમાન તર્કવાદી હતા. તેમણે ગ સાધી ચમત્કારે સિદ્ધ કરેલા હતા. એટલે સરળ, ભેળા સ્વભાવના સેભાગભાઈને તેમના પ્રત્યે જ્ઞાની જેવી શ્રદ્ધા થઈ હતી. પરંતુ શ્રીમદ્દ સાથે તેમને પત્રવ્યવહાર જેમ જેમ વધતે ગયે અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન થતી ગઈ, તેમ તેમ એમનામાં સાચા જ્ઞાનને આવિર્ભાવ થતે ગયે; અને શ્રીમદ્દ પ્રત્યે પતિવ્રતા જેટલી તેમની પરમ ભક્તિ થતાં ગોસળિયા પ્રત્યેની માન્યતા દૂર થઈ ગઈ. સભાગભાઈ ગોસળિયાને પણ કૃપાળુદેવ શ્રીમદ્દનું શરણ સ્વીકારવા વારે વારે કહેતા. તે વખતે ડુંગરશીભાઈ અનેક તર્કો ઉઠાવતા. પણ સેભાગભાઈ નમતું આપતા નહિ. આમ છતાં તેઓ બંને સાથે મળીને જ શ્રીમદના પત્રે વિશે વિચારતા અને તત્વચર્ચા કરતા હતા. સં. ૧૯૪૭ના પર્યુષણ પર શ્રીમદ્ મુંબઈથી રાળજ આવ્યા, ત્યારે સેભાગભાઈ તથા ડુંગરશીભાઈ ગોસળિયા શ્રીમદ્દ સાથે રહ્યા હતા. ડુંગરશીભાઈ રાળજ પંદર દિવસ રહી પાછા ફર્યા. સેભાગભાઈ શ્રીમદ્, વવાણિયા ગયા ત્યારે સાથે નીકળી સાયલે ગયા હતા. એ જ રીતે સં. ૧૫૧માં ખંભાત અને સં. ૧૯૫રમાં કાવિઠા શ્રીમદ્દ જ્યારે આવ્યા ત્યારે પણ એ બંને વૃદ્ધ પુરુષ સાથે જ હતા. - ભાગભાઈને સત્સંગની તીવ્ર ઝંખના હતી તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy