SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટીશ પ્રજાના ન્યાયીપણામાં ભારે વિશ્વાસ હતો. બીજા પક્ષને આવી બંધારણપૂર્વકની હિલચાલમાંથી વિશ્વાસ ઊઠી ગયો હતો અને ઉગ્ર હિલચાલ વડે એવું લેકબળ ઊભું કરવું કે જેની સામે સ્થાપિત સરકાર ટકી શકે જ નહિ અને આપણને સ્વરાજ્ય આપવાની તેની ઉપર ફરજ પડે-આ ધ્યેયપૂર્વક કામ કરી રહ્યો હતે. સરકારનું દમન પણ ચાલુ જ લતું અને દેશદ્રોહના કારણે ઉદામ પક્ષના એક યા અન્ય દેશનેતાને પકડી પકડીને અવાર–નવાર જેલમાં પૂરવામાં આવતા હતા. બંગાળમાં એક એવો પણ નાનો સરખો વર્ગ ઊભો. થયા હતા કે જે બેમ વડે મોટા મોટા અંગ્રેજ અધિકારીઓનાં ખૂન કરીને સ્થાપિત રાજ્યસત્તાને મૂઝવવા માંગતો હતો અને એ રીતે અકળાયેલી રાજસત્તા આપણને સ્વરાજ્ય આપી દેશે એમ માનતા અને મનાવતો હતો. આ પરિસ્થિત વચ્ચે ગાંધીજી આપણી વચ્ચે આવ્યા અને અંદરથી ખૂબ ઉછળેલી અને એમ છતાં નિઃશસ્ત્રપણાને લીધે અસહાયતા અનુભવતી પ્રજા સમક્ષ તેમણે અસહકાર અને સત્યાગ્રહના સિદ્ધાંતો રજૂ કર્યા. ચંપારણ, ખેડા, બોરસદ જેવા નાનાં નાનાં ક્ષેત્રમાં સત્યાગ્રહને અમલ કરીને પ્રજા ઉપર ગુજરતા સ્થાનિક અન્યાયો રદ કરવાની અંગ્રેજ સરકારને તેમણે ફરજ પાડી. પરિણામે પ્રજા તે જાણે કે પિતાના ઉદ્ધારની એક નવી ચાવી મળી ગઈ હોય એમ નવી આશા વડે ઊછળવા લાગી. આમેય આપણી પ્રજાની અથવા તે સામાન્ય જનસ્વભાવની કહીએ તે પણ ખોટું નથી, એ ખાસિયત રહી કે લેહી જોવું કે રડવું તે સિવાય અર્થાત ખૂનની નદીઓ વહાવ્યા સિવાય સ્વરાજ સમીપ જવાને પ્રજાની આઝાદી હાંસલ કરવાનો કેઈ આપણને રસ્તો બતાવે તે આપણી નિશસ્ત્ર પ્રજા તે ભાર્ગને જરૂર વધાવી લે એમાં શંકા જેવું હતું જ નહિ. અસહકારનો અર્થ એ હતું કે આપણી પ્રજા ઉપર આપણે જ માણસો વડે જ અંગ્રેજી રાજ્ય ચાલે છે. એ પ્રજાના માણસો સહકાર ખેંચી લે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy