SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ હિય છે. એક વિનાશક, બીજી સર્જક. જે શેધ માણસની સંહાર શક્તિ વધારે તે વિનાશક શેધ કહેવાય. જે શેધ વડે માણસનાં સુખ સગવડ અને સ્વાસ્થ વધે તે સર્જક શેધ કહેવાય. દાખલા તરીકે પ્રોફેસર હેબરે વિનાશક બોંબ શોધવા પાછળ જ પોતાની સર્વ જ્ઞાનશક્તિનો ખર્ચ કર્યો અને એમીલ ફિશર નામના રસાયણશાસ્ત્રીએ યાંત્રિક યોજના વડે સાકર બનાવવાની રીત શોધી કાઢી. એક માનવીએ સંહારને ઉત્તેજન આપ્યું, બીજા માનવીએ જીવનની મધુરતામાં વધારે કર્યો. - વિજ્ઞાનની શોધ વડે આજનાં યુદ્ધોએ ભારે વ્યાપક અને ઘેર સંહારક સ્વરૂપ પકડયું છે. પણ એથી કેઈએ હતાશ બનવાનું કારણ નથી. પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતાં એક એ નિયમ આપણું જાણમાં આવે છે કે પશુવર્ગની કેટલીય જાતિઓ સૈકાઓ દરમિયાન ઉત્તરોત્તર વિપુલ દેહ અને શરીર સામર્થ્યવાળી બનતાં બનતાં એકાએક જ્યારે હંમેશાને માટે લુપ્ત થાય છે ત્યારે તે જાતિના પ્રાણીઓએ અસાધારણ કદ અને શરીરબળ પ્રાપ્ત કર્યા હોય છે. આવું જ લડાઈને વિષે છે. પૂર્વ કાળની લડાઈમાં જે સુન્દર, - મેહક અને વીરતાપૂર્વક વિશેષતાઓ હતી તે બધી આજે અદશ્ય થઈ ગઈ છે. તે વખતનું આનંદભર્યું તંબુજીવન આજે ગયું છે, તે સમયના ભવ્ય લશ્કરી પિોષાકો આજે જોવામાં આવતા નથી. ઠંદ્વ યુદ્ધો પણ ભૂતકાળમાં સમાઈ ગયાં છે. યુદ્ધને લગતાં આકર્ષક સર્વ તો લુપ્ત થયાં છે. જૂના વખતને પ્રાણપ્રેરક સંગ્રામ આજે મૃતપ્રાય બની ગયો છે. સંભવ છે કે યુદ્ધ હજુ પૂરતાં વિરાટ સ્વરૂપને પહોંચી ચૂક્યું ન હોય. આજના (૧૯૧૪ થી ૧૯૧૮ સુધીનાં) યુરોપીય વિગ્રહમાં હજુ તટસ્થ રાજ્ય ઊભાં છે અને સંભવ છે કે હવે પછી એક એવું યુદ્ધ હશે જેમાં દુનિયાના બધાં રાજ્યોએ એક સાથે ઝંપલાવ્યું હેય. જે એમ બને છે એ ખરેખર છેલ્લું જ યુદ્ધ હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org ww
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy