SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ " ચાલી આવતી હતી અને તેમાં પાણીનું વહેણ પાતળું નાનું સરખું કદી ગાચર, કદી અગાચર મૌનપણે વહી રહ્યું હતું. એકાદ માઈલ ચાલ્યાં એટલે ઝાડપાનથી ઘટ્ટ રીતે છવાયેલા. એવા નદીના કિનારે એક પ્રાચીન મંદિર આવ્યું. આ મંદિર એમાં પ્રતિષ્ઠિત મહાદેવ 'ડેશ્વર 'ના નામથી ઓળખાય છે. ભાવુક યાત્રિકા માલા જાગેશ્વર, છૂટા જાગેશ્વર અને આ દુડેશ્વર એમ મહાદેવત્રિપુટીનાં દર્શોન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરને આકાર, હિમાલયનાં મંદિરનિર્માની જે એક વિશિષ્ટ શૈલી છે, તેના એક સુન્દર નમૂના છે. કેદારનાથનુ મદિર (તેની છંખી જોઈ છે તે મુજબ) અને આ મંદિર એકમેકને બહુ જ મળતાં લાગતાં હતાં. અહી મદિરના પૂજારી મંદિર બંધ કરીને ચાલી ગયા હતા, એટલે અંદર અમે જવા ન પામ્યાં. જાગેશ્વર મહાદેવનાં મંદિરમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની પ્રાચીન મૂર્તિ હતી, તેમ અહીં પણ હાવી જોઈએ, પણ તેનાં દર્શન અમારા નસીબમાં નહાતાં. આ મંદિરનું સ્થળ અને આસપાસનું દૃશ્ય ભારે રમણીય લાગ્યું. મદિરમાં જવા માટે નાને સરખા પુલ એળ ગવા પડે છે. પુલની આ ખાજુએ બેસીને વહેતા ઝરણાને અને મ ંદિરની ભવ્ય ઇમારતને જોતાં આંખા થાકતી નહાતી, અને અહીંથી ખસવાનું મન જ ચતુ નહાતુ. ધ્યાની વૈરાગી મહાદેવને વસવા માટે આ ખરેખર સુયેાગ્ય સ્થળ છે, એમ મન ઘા કરતું હતું. આમ અહીં, બધાંને આગળ જવા દઈને, હું ઠીક ઠીક રાકાયા. પણ આખરે તે અહી થી પગલાં ઉપાડયે જ છૂટકા હતા, કારણ કે બે-અઢી વાગ્યા આસપાસની અસ પકડયા સિવાય ચાલે તેમ નહોતું. Ο આગળ ચાલ્યા, બધાં સાથે જોડાઈ ગયા. આરતાલા આવ્યું. આખા પ્રવાસ દરમિયાન જાગેશ્વરથી આરતાલા સુધી આવતાં અમને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy