SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ માજુએ માઈ લાના માઈ લે સુધી પર્વતમાળા નજરે પડતી હતી. કદી કદી જાણે કે રાની પશુએનાં રહેઠાણ ન હેાય એવી ખીણા અને ગીચ ઝાડીઓ આવતી. આ બાજુ અમને તદ્દન અપરિચિત એવાં કાઈ કાઈ પક્ષીઓના મીઠા ટહુકાર અવારનવાર સંભળાયા કરતા હતા. હવે ચઢાણ પૂરુ થયું અને લાંબે સુધી ઉતરાણના માર્ગ શરૂ થયા. ૭૦૦૦ ફીટ સુધી ઊંચે જઈને પાછા હજાર-દોટહજાર ફીટ નીચે કોતર્યા. હાશું એમ લાગ્યું. નીચે ખીણમાં જાગેશ્વરનાં મદિશ દેખાયાં. આ વિભાગમાં દેવદારનાં ભારે ગાઢ જંગલો આવેલાં છે. ઠેઠ નીચે પહોંચતાં પાકી સડક આવે છે. આ સડક ઉપર નદીકિનારે ચાલતાં ચાલતાં જાગેશ્વરના ઝાંપા સુધી પહેાંચી જવાય છે. અહી કિનારા ઉપર આ અતિ પુરાતન મદિશ ઊભેલાં છે. એક મુખ્ય મંદિર છે, જેમાં જાગેશ્વર મહાદેવનું જ્યેાતિલિગ છે અને તેની આસપાસ દેવ-દેવીઓનાં નાનાં દિશ છે. આ મુખ્ય મંદિરને ખાલા જાગેશ્વર ’ ( એટલે કે બાળક જેવા જાગેશ્વર) કહે છે અને બાજુએ સત્તા માઈલ ઉપર પહાડની ટોચ ઉપર મહાદેવનું એક બીજુ એટલુ જ પુરાણુ મંદિર છે, જેને છૂટા જાગેશ્વર ' અથવા તે L બૃહત્ જાગેશ્વર ’ કહે છે. નજીકમાં એક વહેતા પાણીના ઝરા છે તેને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. આ કુંડમાં કરેલું સ્નાન બહુ પુણ્યદાયી લેખાય છે. ચારે બાજુએ પહાડાના ખેાળામાં આવેલુ આ સ્થાન ભારે રમણીય છે. દુનિયાના કોઈ ધેાંઘાટ અહીં સુધી પહેાંચતા નથી. અપૂર્વ શાન્તિ અને એકાન્ત અહી અનુભવાય છે. આત્મસાધના માટે સુયેાગ્ય સ્થળ છે. 6. આ સ્થળને એક બીજો પણ મહિમા છે. જેમ ખાગેશ્વર સાથે શંકર-પાર્વતીના લગ્નની ઘટના જોડાયેલી છે, તેમ આ સ્થળ સાથે શકરે કરેલા કામદહનની—તે માટે તેમણે ત્રીજુ' લાચન ખાલ્યાની— Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy