SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ કરાવીને મ’ગાવી હતી. પછી રાધા-કૃષ્ણના મંદિર તરફ ગયાં. મ ંદિરની સામે, જરા દૂર, બરાબર વચ્ચેના ભાગમાં, એક નાના સરખા થાંભલા ઉપર ગરુડની સુંદર ચકચકિત મૂર્તિ બેસાડેલી હતી. આ મૂર્તિ પિત્તળની અથવા પંચધાતુની બનાવેલી હતી. પછી અમે મદિરના ગદ્વાર આગળ જઈ ને ઊભું. ગદ્વારમાં રાધા--કૃષ્ણની ઊભી પંચધાતુની મૂર્તિ હતી અને તેને વસ્ત્રાભૂષણ અને જાતજાતનાં પુષ્પોથી શગારવામાં આવી હતી. મદિરની રચના અને શિલ્પ ભારે સૌમ્ય અને સુરુચિપૂર્ણ હતાં. ગર્ભાગારના એક ખૂણે ભગવાન બુદ્ધની પિત્તળની એક ભવ્ય મૂર્તિ બિરાજમાન હતી. સાંજે સાડાસાત વાગ્યે અહી ુંમેશાં આરતિ થાય છે. સ્વામીજી ક્રિયાકાંડના અણીશુદ્ધ પાલનના ઉત્કટ આગ્રહી છે. સાંભળ્યું હતું કે સ્વામીજીને આરતી ઉતારતા જોવા, તે વખતનુ વાદ્ય, વાઘ, સ`ગીત, ગાયન વગેરે સાંભળવું એ ભારે આલાક હાય છે. પણ અમારાથી · ત્યાં સુધી રાકાવાનુ શકય નહાતું, એટલે અમે સ્વામી કૃષ્ણપ્રેમને નમસ્કાર કરીને તેમનાથી છૂટાં પડયાં. આ સ્થળમાં અમે એકાદ કલાક ગાળ્યા અને સ્વામી કૃષ્ણપ્રેમને ટૂંકા સરખા પરિચય થયા. આથી અમને જરૂર આનંદ થયા, પણ તેમની સાથે વિશેષ સમય ગાળવાનું ન બન્યું એ બાબતને મનમાં ઊંડા અસાષ રહી ગયા. આટલી લાંબી સાધના બાદ પણ ક્રિયાકાંડ વિષેના તેમનેા આટલા બધા આગ્રહ મારા તશીલ માનસને ન સમજાય તેવા હતા. તેમના વૈષ્ણવી ભક્તિપથ પણ જલદી ગળે ઊતરે તેવે! નહાતા. આમ છતાં આ વિષે કે તેમની અન્ય રહેણીકરણી વિષે આટલા ટૂંકા પરિચય ઉપરથી કશા પણ અભિપ્રાય આપવાનું ઉચિત લાગતું નથી. તેમણે દેશ હાડયો, વારસાગત ધર્મ છેડયો, સ્વતંત્ર તર્ક, ચિન્તન, મન્થન અને વર્ષાની સાધનાના પરિણામે અને સાથે સાથે સતત જ્ઞાનયોગ દ્વારા તેઓ આજે આ સ્થિતિને પ્રાપ્ત થયા છે. આવી વિશિષ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy