SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ તેમને ત્યાં જ પસાર થતે. મુંબઈમાં વસતાં બાળકોને આ બધું અવનવું લાગે તે સ્વાભાવિક છે. બાગેશ્વરથી પાછા આવ્યા બાદ અમારી સાથેનાં ત્રણ બાળકે, જેમને આગળ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમને મેં ખૂબ હસતાં–ખેલતાં જોયાં. તેમનામાંના એકને તે, એ બાપ રે, મરી ગયો !” એમ બોલતાં સાંભળે અને મારી સામે જોઈને હસતો દેખ્યો, એટલે બીજે પણ બેલવા લાગ્યો કે “ઓ બાપ રે મરી ગયો !” અને મારી સામે જોઈને હસવા લાગ્યો. તેમને વિશે પૂછતાં મને માલૂમ પડ્યું કે આગલે દિવસે ગોમતી નદી ઓળંગતાં હું પાણીમાં ઝબોળાયલે ત્યારે “ઓ બાપ રે મરી ગયો !” એમ હું બૂમ પાડી ઊઠેલે એ હકીક્ત હું તે ભૂલી ગયો હતો, પણ છોકરાંઓએ તે પકડી લીધેલું અને જ્યારે અને ત્યારે તેઓ બોલતા રહ્યા કે દાદા, “ઓ બાપ રે મરી ગયે” આ જાણીને મને ભારે રમૂજ પડી અને હું પણ ખડખડાટ હસી પડ્યો. એક તો આપણે આપણી બહાદુરીની ગમે તેટલી શેખી કરતા હોઈએ તો પણ કાંઈક આફતનો કે શારીરિક અકસ્માતને સંયોગ ઊભો થાય છે ત્યારે, સહજપણે આવા ભયસૂચક ઉદ્ગાર આપણા મોઢામાંથી નીકળી જાય છે. આપણા મનના ઊંડાણમાં મૃત્યુને કેવો ભય રહે છે તે તો આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, અને કાંઈ પણ આફત આવી તે જાણે કે મૃત્યુ જ સામે આવીને ઊભું રહ્યું હોય એમ આપણા અજ્ઞાત મનને લાગે છે. અને બીજુ, બાળકોને મન નાનામોટાનો ભેદ હેતે જ નથી; મોટાનું પણ કાંઈક હસવા જેવું તેમના હાથમાં આવે તે તે પકડીને મેટાને ઉપહાસ કરતાં, ટીખળ કરતાં, નકલ કરતાં તેઓ અચકાતા નથી. પછી વડીલોમાંથી કોઈ તેમને આમ કરવા બાબત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy