SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ રાત હતી. મનમાં હતું કે રાત્રે ફરવા નીકળીશું અને ચાંદની માણતાં માણતાં આસપાસના પ્રદેશ—ખાસ કરીને ત્યાં થતા ગામતી અને બીજી બાજુએથી આવતી સરયૂ નદીનેા સંગમ-નિહાળીશું; પણ એ તેા હવે શકય જ ન રહ્યું; કારણ કે દુ:ખતા પગ અમને ક્રવાતી રજા આપે એમ હતું જ નહિ. સારે ઊડયાં. નિત્યકર્મોથી પરવારીને સ્વસ્થ થયાં અને ફરવા નીકળ્યાં. ખાગેશ્વર પહાડી વેપારનુ‘ એક મેટું મથક છે. અહીં જરૂરિયાતની બધી ચીજો મેટા પ્રમાણમાં મળી શકે છે. વળી, તે હિમાલયનું કાશી ગણાય છે. અહીં સરયૂ અને ગામતી નદીનેાસ'ગમ થતા હાર્દને એક તીર્થસ્થાન તરીકે આગેશ્વરના મોટા મહિમા છે. શકરપાતી તેમ જ વિષ્ણુસત્યનારાયણનાં અહીં અનેક માદરે છે. તેમાં બાગનાથ અથવા ખગેશ્વર, ભૈરવનાથ, ગંગાજી એમ અમુક મદિરા બહુ પુરાણાં છે. અને તે મદિશમાં પ્રાચીન શિલ્પકળાને ખ્યાલ આપતી કેટલીક પુરાણી મૂર્તિઓ છે. લંગડાતે પગે અમારી મંડળી સાથે હું પણ અંધે કર્યાં. ખગેશ્વર મહાદેવ તથા ભૈરવનાથનાં મદિરા જોયાં. પછી અમે ગે!મતી નદીના પુલ ઉપર ગયાં. આ બાજુએ આવેલી નદીએ મેટા ભાગે સાંકડા પટવાળી ટાય છે અને ચામાસાના દિવસેામાં ઘેડાવેગે આવતા પાણીના ધસમસતા પુરથી બે કિનારે છલકાતી-ઊભરાતી હાય છે. આ કારણે આ બાજુની નદી ઉપરના પુત્રે બન્ને બાજુએ તારનાં દોરડાંથી બાંધેલા, અધર અને ઝૂલતા હેાય છે. આપણી બાજુએ હાય છે તેવા નીચેથી ટકા આપતા ચાંભલાવાળા પુલેા આ બાજુએ જોવામાં આવતા નથી; કારણ કે આવતા પુર સામે આવા થાંભલાએ ટકી શકતા નથી. આ પ્રકારના પુલને લીધે નદીનું દૃશ્ય પણ કાંઈક વિલક્ષણ લાગે છે. પુલ ઉપર For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy