SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ઉપર અમે પહોંચ્યા. આમ મન ભરીને હિમશિખરે જોયાં, માણ્યાં અને કૌસાની સુધી આવ્યાને પરિશ્રમ ફલિતાર્થ થતો અનુભવ્યો. અને ભલે હવે હિમપર્વત ન દેખાય તો કાંઈ નહિ એમ મનમાં સંતિષ ચિન્ત. સરલાદેવી અમે કૌસાની હતાં એ દરમિયાન શરૂઆતના દિવસોમાં, આગળ જેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે, કસ્તૂરબા મહિલા ઉત્થાન મંડળનાં સ્થાપક અને મુખ્ય સંચાલક સરલાદેવીને મળવાનું અને તેમના લક્ષ્મી આશ્રમની પ્રવૃત્તિઓ જેવાનું સદ્ભાગ્ય અમને સાંપડયું. આ સરલાદેવીને છેડે પૂર્વ પરિચય અહીં આપવો અસ્થાને નહિ લેખાય. તેઓ મૂળ જર્મને છે, પણ ઈંગ્લાંડમાં ઊછરેલાં છે. આજે તેમની ઉમ્મર ૫૮-૬૦ વર્ષની છે. તેમના પિતા ઈંગ્લાંડમાં પચ્ચીગરનું કામ કરતા હતા. તેમનું મૂળ નામ છે “મિસ કેથેરાઈને મેરી હેલીમેન.” લંડન યુનિર્વસિટીનાં તેઓ ગ્રેજ્યુએટ છે. જીવનના પ્રારંભકાળમાં તેઓ લંડનના ગરીબ લત્તાઓમાં કામ કરતાં. તેમના પરિચયમાં આવેલા હિંદી વિદ્યાથીઓએ તેમને જણાવ્યું કે અહીં શું ગરીબી છે ! ખરી ગરીબી જેવી હોય તે હિંદુસ્તાન જાઓ. આ સાંભળીને તેઓ હિંદ આવવા આકર્ષાયાં અને ૧૯૩૫ની સાલમાં તેઓ ઉદયપુરના ભારતીય વિદ્યા ભવનમાં કામ કરવા માટે જોડાયાં. એ દરમિયાન તેમને સ્વ. જમનાલાલ બજાજના પરિચયમાં આવવાનું બન્યું. તેમની પ્રેરણાથી તેઓ વર્ધા–સેવાગ્રામ ગાંધીજી પાસે ગયાં. ગાંધીજી તેમની રીતભાત તથા તેમનું સેવાપરાયણ પ્રાકૃતિક વલણ જોઈને બહુ રાજી થયા. તેમને “સરલાબહેન” અથવા “સરલાદેવી” ના નામથી ઓળખવા લાગ્યા. સેવાગ્રામમાં સરલાદેવીએ અખિલભારત તાલિમી સંઘમાં શ્રી આર્યનાયકમજી સાથે કામ શરૂ કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy