SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ • “તું પણ તારી વિષાદ છાયામાંથી મુક્ત થા અને ભાવિ જીવનની સંકટ-સમૃદ્ધિને ધારણ કરવા ગ્ય વીરતા પ્રફુલ્લતા-પ્રસન્નતા ધારણ કર!” સંકટને પણ સમૃદ્ધિ ગણી સત્કારવાની આ સાધુતા કંઈ જેવીતેવી વીરતા નથી. એમણે જીવનભર આવી ક્ષાત્રવટ દાખવી છે–બકે સંકટોને, સંઘર્ષોને એમણે આત્મકસોટી અર્થે આવાન • આપ્યું છે. ગાંધીદીધાં સત્ય અને સાદાઈ, અપરિગ્રહ અને અહિંસા, નિખાલસતા અને નીડરતાના પાઠ એમણે આત્મસાત્ કરી લીધેલા. - રાષ્ટ્રભક્ત કવિ ખબરદાર અને રાષ્ટ્રપિતા ગાંધીજીનું પ્રેરક મિલન પણ પરમાનંદભાઈની જ વ્યવહારકુશળતાએ કરાવી આપ્યું હતું. ગાંધીવિચારથી રંગાએલા પરમાનંદભાઈનાં જ્યેષ્ઠ પુત્રી મધુરીબહેનનું લગ્ન ૧૯૩૪માં ઘોળ બહાર થયું ત્યારે જ્ઞાતિવિધ સામે રાજીનામું ધરી દેતાં પણ એ પાછા પડયા નહોતા. સુભાગ્ય તો એ હતું કે એમની આ ક્રાંતિવાદી પ્રવૃત્તિમાં એમનાં પત્ની વિજયાબહેનના - સહકારનો પણ કંઈ ઓછો ફાળો નહોતો. શુદ્ધતાના આ આગ્રહીનું જીવન શુષ્ક નહોતું. સંગીત, ચિત્ર, પ્રવાસ-પર્યટનાદિમાં એમને ઊંડે રસ હતો. અભ્યાસકાળ દરમિયાન એમણે સંગીત શીખવાના પ્રયાસ કરેલા એની સાક્ષી એમના ઘરમાં વસાવેલાં વાયોલિન, દિલરૂબા, સિતાર, હાર્મોનિયમ વગેરે વાજિંત્રો પૂરે છે. ભૂપાલી અને દુર્ગા એમના પ્રિય રાગ. સંગીતના આ શોખથી પ્રેરાઈ એઓ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને પણ ચલચિત્ર તાનસેન” જેવા (કાનથી તે !) લઈ ગએલા! ચિત્રોને પણ એમને એવો જ ભારે શોખઅનેક સુંદર - ચિત્રો એમના સંગ્રહમાંથી મળી રહે. ઘરના પ્રત્યેક સ્થાનને એમણે ચિત્રથી શણગારેલું. આજના ખ્યાતનામ કલાકાર કે. કે. હેમ્બર - (એક વખતના એમના પડેશી હતા) ને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy