SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારથી દાકતર એક ઘરમાં બે ઘર કરીને રહે છે. પોતે નીચે, બાઈ માળે. પિતાને ઘેર કોઈને મળતા નથી કે મળવા બોલાવતા નથી, ઘરમાં રહે તેટલા કલાક કાં બાઈની માવજત કરે, કાં બંદગી. ' કોઈ મિત્ર સુહદ સજજન દાકતર પ્રત્યે હમદર્દી દર્શાવે એટલે કહેશે ભાઈ ખુદા કે નજદીક અગર આપકા કોઈ વસીલા હો તો મેરે બચ્ચે કી માં કે હકમેં દુઆ કરના. અને વરસોવરસ હું શિયાળે પહાડો પરથી ઊતરી દિલ્હી રસ્તે આવું ત્યારે કહેશે,છ, બચ્ચકી મજાર પર એક ફૂલ મોનબત્તી રખતે આના.” આવા દાકતર માયાદાસને પરિચય પામીને અમે પણ ધન્યતા અનુભવી. લડિયા કાંટા - દાકતર માયાદાસના સત્સંગમાં આપણે ઠીક સમય ગાળ્યો. હવે આપણે આગળ ચાલીએ. પહેલાં નકકી કર્યા મુજબ ર૦મીની સવારે વહેલા ઊઠીને અમે તૈયાર થયાં અને અમારી હોટેલના પાછળના ભાગમાં આવેલ પર્વતના ઊંચાણ વિભાગની પિલી પાર ૮૧૪૪ ફીટ ઊંચાઈએ આવેલ “લડિયા કાંટા' ના નામથી ઓળખાતા ગિરિશિખરે પહોંચવા માટે અમે નીકળ્યાં. “સ્નો ધૂ” જવાના માર્ગ ઉપર જ ઊંચે ને ઊંચે ચઢતાં આશરે એકાદ કલાક બાદ પર્વતની ધાર ઉપર આવેલ “ સેન્ટ લૂ ટોલ પિસ્ટ ' નામની જગ્યાએ અમે પહોંચ્યાં. અહીંથી ડાબી બાજુએ સ્ને ભૂ જવાનો રસ્તો ફંટાય છે. અમે જમણી બાજુએ. આગળ ચાલ્યાં. એ રસ્તે ઉપર જમણી બાજુએ બિરલા મંદિરે જવાની કેડી આવે છે. તેને વટાવીને અમે આગળ વધ્યાં. એટલે જે પર્વત ઉપર અમારું ચઢાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy