SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જ અનુભવાતાં. પછી તે તે બહેન બદ્રી–કેદારની યાત્રા સુખરૂપ. પૂરી કરીને પાછી આવી પણ ગઈ છે અને આભેરા કોલેજમાં પિતાના કામ ઉપર ચડી પણ ગઈ છે. તા. ૧૪મીની સવારે વહેલાં ઊઠીને અમે “સ્નો વ્” નામે ઓળખાતા સ્થળે જવા માટે નીકળ્યાં. નૈનીતાલનું સરોવર એક મોટી ખીણમાં આવેલું છે. આ બાજુએ આવીએ ત્યારે જ્યાંથી હિમશિખરે જોઈ શકાય તેવા કોઈ ઊંચા સ્થળે પહોંચીને હિમશિખરાનું દર્શન મેળવવાની મનમાં એક ચાલુ ઝંખના રહે છે. નો ન્યૂ ૭૪૫૦ ફીટની ઊંચાઈએ એટલે કે નૈનીતાલ સરોવરથી આશરે હજાર ફીટથી વધારે ઊંચાઈએ આવેલી એક શિખરપટ્ટી છે, જ્યાંથી, ઉત્તર દિશાનું આકાશ ચોખું હોય તે, બરફવાળા પર્વતો જોવાની આશા રહે છે. નૈનીતાલ આવ્યા પછી અમારા માટે આ પહેલું ચઢાણ હતું. ચઢાણનો રસ્તો મોટા ભાગે આડા ડબલ્યુ આકારની ચાલુ પુનરાવૃત્તિ જેવો હતો. ચઢવાને હજુ ટેવાયેલાં નહિ એટલે થોડું ચાલીએ, ચઢીએ ને હાંફી જઈએ, એટલે ઊભાં રહીએ. આમ ચાલતાં, ચડતાં અને ઊભાં રહેતાં આશરે એક કલાકે અમે ઉપર પહોંચ્યાં, પણ જે જોવાની આશાએ નીકળેલાં તેમાં નિરાશ થયાં. સાધારણ રીતે આ ઉનાળાના દિવસોમાં ક્ષિતિજ વિભાગનું આકાશ ઘૂંધળું જ રહે છે. અને તેથી હિમશિખરેનું દર્શન ભાગ્યે જ થાય છે. સ્નો વ્યુ ઉપરથી હિમપર્વતે દેખાયા નહિ તેથી અમે તદ્દન નિરાશ ન થયા. હજુ બીજા ઊંચા સ્થળેએ અમારે જવાનું બાકી હતું અને આગળ ઉપર કૌસાનીમાં આઠ દિવસ રોકાવાનું અમે વિચારેલું હતું. તેથી કોઈ ને કોઈ સ્થળે અને દિવસે એ હિમપર્વનાં દર્શન તે થવાનાં જ છે એવી અમને પાકી શ્રદ્ધા હતી. બિરલા વિદ્યામંદિર સ્નો ગૂંથી પાછા ફરતાં બહુ દૂર નહિ એ રીતે ઠીક ઠીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy