SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સરોવર અને એની આસપાસના પ્રદેશ નજરે પડતું હતું. હાલમાં નાહ્યાંયાં અને ચા-નાસ્તો કરીને સ્વરથ થયાં. સાંજ પડવા આવી હતી. બીજા બધાં કંઈક થાકી ગયાં હતાં એટલે હું એકલો સવરકિનારે ફરવા નીકળી પડયો. સરવર લગભગ અંડાકૃતિને મળતું છે અથવા લંબગોળ કહીએ તો પણ ચાલે. કેટલાક તેને મલ્યાકૃતિ પણ કહે છે. સરોવરનો એક છેડો જ્યાં નૈનીતાલનું પ્રવેશદ્વાર છે, જ્યાં નીચે ઉપર વસેલા વિભાગને તલ્લીતાલ કહેવામાં આવે છે, ત્યાંથી જમણી બાજુ ઠેઠ બીજા છેડા સુધી કિનારે કિનારે હોટલે, રહેઠાણનાં મકાનો અને દુકાનો છે. આ રસ્તાને માલ રોડ કહે છે. બીજે છેડે એક ઘણું મોટું મેદાન છે, જ્યાં ઉનાળામાં નૈનીતાલના પ્રવાસે આવેલા લોકો સાંજના વખતે એકઠા થાય છે. એ મેદાનને “ફલૅટ ” કહે છે, અને એ બાજુના ઉપરના વસવાટવાળા ભાગને “ભલ્લી તાલ” કહે છે. સરોવરના બીજા અડધા ભાગના કિનારા ઉપર કેવળ ફરવા. માટેની સડક છે. એ કિનારે મકાન કે હોટલે નથી, પણ ઉપરના ભાગમાં અનેક નાના-મોટા બંગલાઓ આવેલા છે. ઉપર જણાવ્યા મુજબ ફરવા નીકળ્યો ત્યારે માલૂમ પડયું કે હવે અમે શીત પ્રદેશમાં આવ્યા છીએ. ગરમી તે હતી જ નહીં અને એમાં ઠંડા પવન ફૂંકાવા લાગ્યો. ઉનાળે શિયાળાને અનુભવ આ રીતે શરૂ થયો. સરોવરના બીજા છેડા ઉપર જે મેદાન આવેલું ત્યાં એક બાજુએ બેન્ડસ્ટેન્ડ છે, જ્યાં અવારનવાર સરકારી બેન્ડ સાંજને વખતે એકઠી, થયેલી મેદનીનું મધુર સંગીત વડે મનોરંજન કરે છે. બીજે છેડે નિની દેવીનું પુરાણું મંદિર છે. ફલેટ ઉપર પહોંચતાં અમારી જેમ નૈનીતાલ આવી પહોંચેલા કેટલાક પરિચિત મિત્રો મળ્યા અને પરસ્પર આનંદ અનુભવ્યો. રાત્રિના હોટેલમાં પાછો આવ્ય, બધાં સાથે ખાધું પીધું અને ઠંડી અને થાકને લીધે વહેલાં સૂઈ ગયાં. બીજે દિવસે સરવર ફરતાં સરક્યુલર રોડ ઉપર ચક્કર માર્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy