SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ કૂર્માચળની પરિક્રમા નાનપણમાં આપણા ભણતરની શરૂઆત થતાં જ્યારે આપણે હિન્દુસ્તાનની ભૂગોળ શીખવાની કક્ષાએ પહોંચીએ છીએ અને આપણા દેશની ઉત્તર પૂર્વથી પશ્ચિમ સુધીના લગભગ બેથી ત્રણ હજાર માઈલના પ્રદેશ ઉપર અભેદ્ય જેવી લાગતી જે પર્વતમાળ પથરાયેલી પડી છે, તેને હિમાલય કહેવામાં આવે છે એમ જ્યારથી આપણને ખબર પડે છે ત્યારથી હિમાલય આપણા કૌતુક અને કુતૂહલને વિષય બને છે. હું મેટ્રિક પાસ થયા અને કોલેજમાં દાખલ થયો અને પહેલા વર્ષની પરીક્ષા આપી એ અરસામાં આજે આપણે જેમને “સ્વામી આનંદ'ના નામથી ઓળખીએ છીએ તેમની સાથે મારી ઓળખાણ થઈ અને એ ઓળખાણે બહુ જલદીથી મૈત્રીનું રૂપ ધારણ કર્યું. એ દિવસોમાં તેઓ હિમાલયમાં પરિભ્રમણ કરતા હતા અને અવારનવાર મુંબઈ આવતા, અને એ રીતે તેમને મળવાનું ઠીક ઠીક બનતું. તેઓ જ્યારે મુંબઈ આવે ત્યારે મોટા ભાગે મારી સાથે રહેતા અને પિતાના પરિભ્રમણની અનેક વાતો રસપૂર્વક કહેતા અને હું એટલા જ રસપૂર્વક સાંભળતો. વળી, તેઓ હિમાલય બાજુ હોય ત્યારે પણ તેમના તરફથી અવારનવાર પત્રો મળતા રહેતા. આ પત્રો પણ ખૂબ ઝીણા અક્ષરે લખેલા અને દશ, બાર, પંદર અને કદી કદી વીશ વીશ પાનાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy