SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ છતાં પણ આપણી ધર્મભાવનાને સામાજિક પ્રશ્નો ઉપર લાગુ પાડવાનો કદી વિચાર કર્યો નથી અને આ બધી બાબતોમાં આપણે ઇતર વર્ગોની પાછળ ઘસડાથે જ ગયા છીએ આવી આપણી બેદી રહેણીકરણી છોડવી જોઈએ અને જેને ધર્મભાવના સંમત કરે છે અને દેશ આજે માગે છે તેવી સામાજિક પુનર્ઘટનાના આપણે સૂત્રધાર બનવું જોઈએ અને તે મુજબ આપણા અંગત જીવનને પલટો આપવામાં ઘડીભરને પણ વિલંબ કરે ન જોઈએ. ત્રણ વિભાગની એકતા આ પ્રશ્નોની ચર્ચા સહેજે મને જન સમુદાયના ત્રણ વિભાગની એકતા તરફ લઈ જાય છે. ત્રણ વિભાગની માન્યતાઓનું સામ્ય ડુંગર જેવડું છે અને માન્યતાભેદ તરણા જેટલું છે. એમ છતાં પણ “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ” આવી જ કાંઈક આપણી દશા થઈ દેખાય છે. આવી પરિસ્થિતિની સર્વ જવાબદારી આપણા આચાર્યોની જ છે. ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી ચિંતવવાનો ઉપદેશ કરનારા આચાર્યો એક જ કુટુંબના ભાઈઓ – ભાઈઓને જુદા પાડવાનું અને જુદાઈ ટકાવી રાખવાનું કામ કરતા આવ્યા છે. આ બાબત તેઓએ જૈન શાસનની કરેલી બીજી અનેક સેવાઓને ઝાંખી પાડે છે અને આપણી આંખમાં કણાની માફક ખૂંચે છે. મૂર્તિ જરૂરી કે બિનજરૂરી, મૂતિ નગ્ન જોઈએ કે ઢાંકેલી, સાધુ નગ્ન વિચરે કે વસ્ત્રથી ઢંકાય, સ્ત્રી મોક્ષે જઈ શકે કે ન જઈ શકે, મોઢે મુહપત્તિ બાંધવી કે ન બાંધવી, સંવત્સરી ચેાથની કે પાંચમની, ત્રણ થઈ કે ચાર થઈ કેવળી ખાય કે ન ખાય, પાખી પૂનમની કે ચૌદશની–આમ એક એક મતભેદ ઊભો થતો ગયો અને એક પછી એક ગચ્યો અને ભાગલા પડતા ગયા. આપણી પ્રજાની જ એ એક વિચિત્ર ખાસિયત છે કે નાની કે મોટી બાબતમાં મતભેદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy