SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી, મેનાબહેનને ટાગોરના શાંતિનિકેતનમાં પાંચ વર્ષ મોકલી વિશ્વભારતી' ને ચિત્ર તથા હસ્તકલાને ડિપ્લોમા મેળવ્યું ત્યાં સુધી, ચારુબહેનને એમ. બી. બી. એસ. સુધી, મિતાબહેનને બી. એ. સુધી ને ગીતાબહેનને એમ. એ. સુધી ભણાવ્યાં. મેનાબહેનની ચિત્રકલાની તથા ગીતાબહેનની કાવ્ય તથા સંગીતની વિશેષ અભિરુચિને પાળીપોષીને એમણે પ્રોત્સાહિત કરી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે કારાવાસમાં રહ્યું રહ્યું પણ પુત્રીઓના અભ્યાસની એઓ ચિંતા કરતા. નાસિક જેલમાંથી તા. ૨૫–૫૩૨ના રોજ પત્ની પર લખેલા પત્રમાંના આ શબ્દો તેની પ્રતીતિ કરાવી આપે છે : તું મધુરીને આગળ ભણાવવા માટે આનાકાની કરે છે, તેનું મુખ્ય કારણ તે આર્થિક ચિન્તા હોવી જોઈએ......પણ તે ખાતર આપણી અનેક આશાએનું કેન્દ્ર આપણી મધુરીને આગળ વધતી કેમ અટકાવાય ?..... દ્રવ્ય નહિ મળે તે ઘરેણાં-મિલકત વેચીને અને બેને બદલે એક ટંક ખાઈને પણ આપણે બધાંને બનશે એટલું ભણાવીશું.” આમ વત્સલ પિતા અને પતિ તરીકેની ફરજોમાંથી એ કદાપિ ફારેગ થયા નહોતા. એમને ઘરસંસાર એટલે સ્નેહ અને સાદાઈથી મઘમઘતી વાડી ! પણ એ માત્ર ઘરની ચાર દીવાલમાં જ ગોધાઈ રહ્યા નહિ. શુદ્ધ વિચાર અને આયાર એમણે ઈ. ૧૯૧૦થી જ કેળવવા માંડેલા. તાંબર મૂર્તિપૂજક જૈન સમાજનાં પરંપરાગત અને આજના યુગને અસંગત એવા રીતરસમો સામે એમણે લખાણમાં અને ભાષણોમાં વિરોધ વ્યકત કરવા માંડ્યો. પિતાશ્રી કુંવરજીના તંત્રી પણ નીચે ચાલતા “જૈન ધર્મ પ્રકાશ”માં “આધુનિક જેનોનું કલાવિહીન ધાર્મિક જીવન' એ શીર્ષકથી અઢાર હપ્તાની એક લાંબી લેખમાળા ૧૯૨માં લખેલી, તે પાછળથી ઈ. સ. ૧૯૨૯માં પુસ્તકરૂપે પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy