SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ આ વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને લગતી આનુ'પંગિક ચર્ચામાંથી આપણે પાછા મૂળ વિષય ઉપર આવીએ. આગળ વર્ણવેલી ત્રણ દષ્ટિઓમાંથી કઈ દૃષ્ટિએ આપણે સમાજ અને ધર્મના પ્રશ્નોનો નિકાલ કરવો એનો નિર્ણય અહીં પ્રસ્તુત છે. આજે સાંપ્રદાયિક દૃષ્ટિએ આપણે જરા પણ નિર્વાહ થઈ શકે એમ છે જ નહિ. આજનું વિજ્ઞાન, આજનું સમાજશાસ્ત્ર ક્ષણે ક્ષણે આપણી રૂઢ ધાર્મિક માન્યતાઓની અથડામણમાં આવી રહ્યું છે. દરેક બાબતમાં વિજ્ઞાન ખોટું, સમાજશાસ્ત્ર છેટું, પણ અમારી કંઈ કાળથી ચાલી આવતી માન્યતા સાચી એમ કહેવું અને વિચારવું એ તો શાહમૃગને શિકારી મારવા આવે ત્યારે પોતાનું માથું રેતીમાં ઢાંકીને તે એમ માને કે શિકારીના પંજામાંથી પોતે છૂટી ગયેલ છે એના જેવું ગણાય. વૈજ્ઞાનિક સત્ય સામે આપણે આંખ કે કાન બંધ કરી શકીએ તેમ છે જ નહિ. શાસ્ત્રો એટલે જે કાળે જેટલું શોધાયું તેની નેધ. આજે તેમનું જેટલું સત્ય કાયમ રહ્યું હોય તેટલું સ્વીકારવા યોગ્ય અને અન્ય ઉપેક્ષા ગ્ય. ગ્રંથ પ્રામાણ્યની ગુલામીથી આજની બુદ્ધિને કોઈ રીતે બાંધી શકાય તેમ છે જ નહિ. આવી જ રીતે ઉચ્છેદક દૃષ્ટિ ઉપર આપણે લાંબે વખત ટકી શકીએ તેમ છે જ નહિ. જે વૃક્ષનાં મૂળ ઊંડાં નથી હોતાં તે વૃક્ષ આકાશ ભણી લાંબો વખત પિતાની ડાળીઓ પસારી શકતું નથી. જે ઘરના પાયા ઊંડા નથી હોતા તેનું આયુષ્ય સમકાલીન હોય છે. ભૂતકાળને ઉછેદનાર ભવિષ્ય પ્રત્યે પણ આશા અને શ્રદ્ધાથી જોઈ શકતા નથી અને છેવટે તે વર્તમાનના વહેણમાં ઘસડાતે ચાલે છે. ભૂતકાળની સંસ્કારસમૃદ્ધિ આપણી મોટામાં મેટી દોલત છે. ભૂતકાળના અનુભવ ઉપરથી પ્રજાના બળાબળનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy